/connect-gujarat/media/post_banners/6f028b11b91a0a65ef1c1a53b2ecdad2e1b536f7db3684feafe14637764d50f8.jpg)
સુરત શહેરમાં અજગરી ભરડો કસી રહેલા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ વધુ 2 યુવકોનો ભોગ લઈ લીધો છે. ગોડાદરા વિસ્તારમાં રહેતા યુવકનું ઝાડા થયા બાદ મોત નિપજ્યું છે. યુવકના માતા-પિતાને પણ ટાઈફોઈડની અસર હોવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અન્ય બનાવમાં ઉધના વિસ્તારના શાસ્ત્રીનગરમાં રહેતા યુવકનું પણ તાવ અને ઝાડા ઉલટી બાદ મોત નિપજ્યું છે. આ સાથે આ સીઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં શહેરમાં મૃતાંક 20 થઈ ગયો છે. સિવિલ હોસ્પિટલમાં ગત જુલાઈ મહિનામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના 800થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે સ્મીમેર હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં પણ લોકો સારવાર લઈ રહ્યા છે.