સુરત : ઉપરવાસમાંથી તાપી નદીમાં પાણી છોડાયું, પરિસ્થિતિ પર નજર રાખવા મનપા કમિશ્નરનું અધિકારીઓને સૂચન...

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત મ્યુનિસપલ કમિશનર દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજાય હતી. મ્યુનિસપિલ કમિશનર શાલિની અગ્રવાલે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

New Update

ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની આવક

તાપી નદીમાં પણ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત

મ્યુનિ. કમિશનર દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજાય

તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખવા સૂચના અપાય

ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની આવક વધી રહી છે, ત્યારે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત થઇ છે, ત્યારે  સુરત મ્યુનિસપલ કમિશનર દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે બેઠક યોજાય હતી.
ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની આવક વધી રહી છે. વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે પાણી છોડવા માટેનો નિર્ણય કરવામાં આવી રહ્યો હતો. ગતરોજ પણ ઉકાઈ ડેમમાંથી 2 લાખથી વધુ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા આજે 2,47,363 ક્યુસેક પાણી છોડાતા સુરતમાં તાપી નદી ગાંડીતૂર બની છે.
હાલ ડેમની સપાટી 336.44 ફૂટે પહોંચી છે. તાપી નદીના જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા છે. આ સાથે જ મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત મ્યુનિસપલ કમિશનર દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજાય હતી. મ્યુનિસપિલ કમિશનર શાલિની અગ્રવાલે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મિટિંગ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વીડિયો કોન્ફરન્સ થકી સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
3 ફ્લડ ગેટ બંધ થતાં ગટરિયા પૂર આવવાનું શરૂ થયું છે. આ અંગે મનપા કમિશ્નર શાલીની અગ્રવાલે જણાવ્યું હતું કે, અત્યારે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે  તબક્કાવાર સેન્ટ્રલ ઝોન અને વેસ્ટઝોનમાં ફલડ ગેટ ઓપરેટની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે જ ડેમમાંથી પાણી વધારે છોડવામાં આવશે તો ફલડ ગેટ બંધ કરવામાં આવશે.
 ઉકાઈ ડેમમાંથી પાણી વધારે છોડવામાં આવે અને ભારે વરસાદ આવે તો કતારગામ ઝોન, સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોનમાં અસર વધારે વર્તાવાની સમસ્યા સર્જાય શકે છે. ઉપરાંત મનપાના ફાયર વિભાગની ટીમ અને કન્ટ્રોલ રૂમની ટીમ સતત નજર રાખી રહ્યું છે.
Read the Next Article

“તેરા તુજકો અર્પણ” : રૂ. 5.45 લાખના મોબાઈલ શોધી કાઢી મૂળ માલીકોને પરત કરતી સુરતની કાપોદ્રા પોલીસ...

સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

New Update
  • પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અભિયાન

  • ચોરી અને ગુમ થયેલ મોબાઈલ શોધી લેવામાં આવ્યા

  • કાપોદ્રા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરાય

  • રૂ. 5.45 લાખના મોબાઈલ શોધી મૂળ માલીકોને સુપ્રત

  • લોકોએ પોલીસ વિભાગનો વિશેષ આભાર વ્યક્ત કર્યો

સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અંતર્ગત વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છેત્યારે સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથકના PI એમ.આર.સોલંકીના માર્ગદર્શન હેઠળ "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન CEIR પોર્ટલ થકી શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કેમૂળ માલિકોએ ગુમ અથવા ચોરી થયેલ મોબાઇલ ફોન પરત મળતા આભાર માની કાપોદ્રા પોલીસની કામગીરીને બિરદાવી હતી.