સુરત : મોહમ્મદ વાનિયાની 100 ટકા શ્રવણશક્તિની દિવ્યાંગતા છતાં રાઈફલ શુટીંગમાં 11 ગોલ્ડ, 8 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા

સુરતના બેગમપુરા વિસ્તારમાં રહેતા માતા-પિતાની પ્રેરણા, પોતાની અથાગ મહેનતથી મોહમ્મદ વાનિયાએ અત્યાર સુધીમાં 11 ગોલ્ડ, 8 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા

New Update
  • દિવ્યાંગ રાઇફલ શુટરની સફળતા

  • મોહમ્મ્દ વાનિયાને છે 100 ટકા શ્રવણશક્તિની દિવ્યાંગતા

  • રાઇફલ શુટીંગમાં મેળવી સફળતા

  • 11 ગોલ્ડ8 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા

  • વિશ્વ સ્તર પર ભારત દેશનું વધાર્યું ગૌરવ 

Advertisment

સુરતના બેગમપુરા વિસ્તારના મોહમ્મદ મુર્તુઝા વાનિયાએ 100 ટકા શ્રવણશક્તિની દિવ્યાંગતા હોવા છતાં પોતાના હિંમતભર્યા પ્રયત્નોથી રાઈફલ શુટીંગમાં ઈન્ટરનેશનલનેશનલ અને સ્ટેટ લેવલ પર ભારતનું ગૌરવ વધારી રહ્યા છે.

સુરતના બેગમપુરા વિસ્તારમાં રહેતા માતા-પિતાની પ્રેરણાપોતાની અથાગ મહેનતથી મોહમ્મદ વાનિયાએ અત્યાર સુધીમાં 11 ગોલ્ડ8 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ગત ઓગસ્ટ-2024માં જર્મનીના હેનોવર શહેરમાં યોજાયેલી બીજી વર્લ્ડ ડેફ શુટીંગ ચેમ્પિયનશીપમાં 100 મીટર એર રાઇફલ મિક્સ ટીમ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુંજેમાં એક સિલ્વર તથા ઇન્ક્યુવિઝલ ઈવેન્ટમાં એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.મોહમ્મદની સફળતાને બિરદાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પત્ર લખી શુભેચ્છા પાઠવી હતી.

દિવ્યાંગ ખેલાડી મોહમ્મદના પિતા મુર્તુઝા વાનિયાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કેબાળપણથી શ્રવણશક્તિની સમસ્યાને કારણે અમને મોહમ્મદનું ભાવિ અત્યંત પડકારજનક ભાસતું હતું. તેથી અમે નક્કી કર્યું કેહિંમતથી પડકારોનો સામનો કરતા શીખવીશું અને સ્વનિર્ભર બનાવવા બાળપણથી જ તૈયાર કરીશું.

 માતા રઝિયાબહેને મોહમ્મ્દની દિવ્યાંગતાને સ્વીકારી દીકરાના મનોબળને મજબૂત કરીને તેને આગળ વધવા માટે પ્રેરણા આપી હતી,તેમજ પુત્રની સંભાળ માટે શિક્ષિકાની નોકરી પણ છોડી દીધી. તેનો યોગ્ય ઉછેર થાય એને પ્રાથમિકતા આપી મારી તમામ શક્તિ એની પ્રગતિ માટે સમર્પિત કરી દીધી હતી.આજે જ્યારે તેઓ મોહમ્મદને ભારતનું સન્માનજનક જેકેટ પહેરીને દેશ માટે રમતા જોવે છે,ત્યારે તેઓના ગૌરવની કોઈ હદ રહેતી નથી.આજે મોહમ્મદ પોતાની દિવ્યાંગતાને ઓળંગીને રમતગમતમાં સતત આગળ વધી રહ્યો છે.

Advertisment
Read the Next Article

સુરત : 22 વર્ષીય ચિત્ત ગાબાણીના આપઘાત માટે જવાબદાર અજય શિરોયાની ધરપકડ,પોલીસે દબાણો પર ચલાવ્યું બુલડોઝર

લસકાણા વિસ્તારમાં 22 વર્ષીય ચિત્ત ગાબાણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ આપઘાત કેસમાં બેડ નીચેથી મળેલી સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા

New Update
  • લસકાણામાં યુવકના આપઘાતનો મામલો

  • પોલીસે સ્યુસાઇટ નોટથી કરી કાર્યવાહી

  • વ્યાજખોર અજય શિરોયાની કરી ધરપકડ

  • રૂ.80 હજાર સામે રૂ.2 લાખની કરતો હતો ઉઘરાણી

  • પોલીસે વ્યાજખોરના દબાણ પર ચલાવ્યું બુલડોઝર  

Advertisment

સુરતના લસકાણાના 22 વર્ષીય યુવકે આપઘાત કેસમાં સ્યુસાઈડ નોટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.અને વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતા તેને અંતિમ પગલું ભર્યું હતું.પોલીસે અજય શિરોયાની ધરપકડ કરીને તેને ઉભા કરેલા દબાણને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા હતા.

સુરતના લસકાણા વિસ્તારમાં 22 વર્ષીય ચિત્ત ગાબાણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ આપઘાત કેસમાં બેડ નીચેથી મળેલી સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તેની સ્યુસાઈડ નોટમાં જર્મની જવાના 10 લાખ હારવા સાથે વધુ 10 લાખનું દેવું થયું હોવાનો ઉલ્લેખ કરાયો છે. તેમજ જુગાર રમવા માટે લીધેલા 80 હજાર સામે અજય શિરોયા 2 લાખની પઠાણી ઉઘરાણી કરતા હોવાનો આરોપ મૂક્યો છે. તેથી ચિત્ત ગાબાણી ફાંસો ખાવા મજબૂર થયો હતો.આ ઘટનામાં પોલીસે આરોપી અજય શિરોયાની ધરપકડ કરી છે.

જાણવા મળ્યા મુજબ ચિત્ત ગાબાણી જર્મની જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ આ વચ્ચે તેને બે દિવસ પહેલા પોતાના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તો પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું કેજર્મની જવાના 10 લાખ હારવા સાથે વધુ 10 લાખનું દેવું અને જુગાર રમવા માટે લીધેલા 80 હજાર સામે અજય શિરોયાએ 2 લાખની પઠાણી ઉઘરાણી કરતા ચિત્ત ગાબાણી ફાંસો ખાવા મજબૂર થયો હતો.

પોલીસે આરોપી અજય શિરોયાની ધરપકડ બાદ તેને દુકાન બાનવીને ઉભા કરેલા દબાણ પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યું હતું.ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથેની કડક કાર્યવાહીને પગલે વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisment