સુરત : મોહમ્મદ વાનિયાની 100 ટકા શ્રવણશક્તિની દિવ્યાંગતા છતાં રાઈફલ શુટીંગમાં 11 ગોલ્ડ, 8 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા

સુરતના બેગમપુરા વિસ્તારમાં રહેતા માતા-પિતાની પ્રેરણા, પોતાની અથાગ મહેનતથી મોહમ્મદ વાનિયાએ અત્યાર સુધીમાં 11 ગોલ્ડ, 8 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા

New Update
  • દિવ્યાંગ રાઇફલ શુટરની સફળતા

  • મોહમ્મ્દ વાનિયાને છે 100 ટકા શ્રવણશક્તિની દિવ્યાંગતા

  • રાઇફલ શુટીંગમાં મેળવી સફળતા

  • 11 ગોલ્ડ8 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા

  • વિશ્વ સ્તર પર ભારત દેશનું વધાર્યું ગૌરવ 

Advertisment W3.CSS

સુરતના બેગમપુરા વિસ્તારના મોહમ્મદ મુર્તુઝા વાનિયાએ 100 ટકા શ્રવણશક્તિની દિવ્યાંગતા હોવા છતાં પોતાના હિંમતભર્યા પ્રયત્નોથી રાઈફલ શુટીંગમાં ઈન્ટરનેશનલનેશનલ અને સ્ટેટ લેવલ પર ભારતનું ગૌરવ વધારી રહ્યા છે.

સુરતના બેગમપુરા વિસ્તારમાં રહેતા માતા-પિતાની પ્રેરણાપોતાની અથાગ મહેનતથી મોહમ્મદ વાનિયાએ અત્યાર સુધીમાં 11 ગોલ્ડ8 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ગત ઓગસ્ટ-2024માં જર્મનીના હેનોવર શહેરમાં યોજાયેલી બીજી વર્લ્ડ ડેફ શુટીંગ ચેમ્પિયનશીપમાં 100 મીટર એર રાઇફલ મિક્સ ટીમ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુંજેમાં એક સિલ્વર તથા ઇન્ક્યુવિઝલ ઈવેન્ટમાં એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.મોહમ્મદની સફળતાને બિરદાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પત્ર લખી શુભેચ્છા પાઠવી હતી.

દિવ્યાંગ ખેલાડી મોહમ્મદના પિતા મુર્તુઝા વાનિયાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કેબાળપણથી શ્રવણશક્તિની સમસ્યાને કારણે અમને મોહમ્મદનું ભાવિ અત્યંત પડકારજનક ભાસતું હતું. તેથી અમે નક્કી કર્યું કેહિંમતથી પડકારોનો સામનો કરતા શીખવીશું અને સ્વનિર્ભર બનાવવા બાળપણથી જ તૈયાર કરીશું.

 માતા રઝિયાબહેને મોહમ્મ્દની દિવ્યાંગતાને સ્વીકારી દીકરાના મનોબળને મજબૂત કરીને તેને આગળ વધવા માટે પ્રેરણા આપી હતી,તેમજ પુત્રની સંભાળ માટે શિક્ષિકાની નોકરી પણ છોડી દીધી. તેનો યોગ્ય ઉછેર થાય એને પ્રાથમિકતા આપી મારી તમામ શક્તિ એની પ્રગતિ માટે સમર્પિત કરી દીધી હતી.આજે જ્યારે તેઓ મોહમ્મદને ભારતનું સન્માનજનક જેકેટ પહેરીને દેશ માટે રમતા જોવે છે,ત્યારે તેઓના ગૌરવની કોઈ હદ રહેતી નથી.આજે મોહમ્મદ પોતાની દિવ્યાંગતાને ઓળંગીને રમતગમતમાં સતત આગળ વધી રહ્યો છે.

Read the Next Article

સુરતની રેતીનો ઉપયોગ કરી ભારતના ફેમસ આર્ટિસ્ટ બાબુ એડકકુન્નીએ બનાવ્યું સી.આર.પાટીલનું “સેન્ડ પોટ્રેટ”

બાબુ એડકકુન્ની દ્વારા અગાઉ PM મોદીનું પણ સેન્ડ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, બાબુ એડકકુન્નીએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનું પણ સેન્ડ પોટ્રેટ બનાવ્યું હતું

New Update
  • ભારતના ફેમસ આર્ટિસ્ટ બાબુ એડકકુન્નીએ બનાવ્યું ચિત્ર

  • કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલનું સેન્ડ પોટ્રેટ તૈયાર કરાયું

  • સુરતની રેતી વડે એક અઠવાડીયામાં બનાવ્યું સેન્ડ પોટ્રેટ

  • આગેવાનોએ સેન્ડ પોટ્રેટ સી.આર.પાટીલને અર્પણ કર્યું

  • અગાઉ ચિત્રકારે અનેક વિભૂતિઓના સેન્ડ પોટ્રેટ બનાવ્યા 

ભારતના ફેમસ આર્ટિસ્ટ બાબુ એડકકુન્ની દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલનું સેન્ડ પોટ્રેટ તૈયાર કરવામાં આવ્યું છેત્યારે સુરત શહેરમાં વસતા કેરળ સમાજ દ્વારા આ સેન્ડ પોટ્રેટ સી.આર.પાટીલને અર્પણ કરવામાં આવ્યું હતું.

બાબુ એડકકુન્ની દ્વારા અગાઉ PM મોદીનું પણ સેન્ડ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીંબાબુ એડકકુન્નીએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તેમજ દુબઈના શેખ સહિત વિશ્વની અનેક વિભૂતિઓના સેન્ડ પોટ્રેટ બનાવ્યા છે.

બાબુ એડકકુન્ની સુરતની રેતીનો ઉપયોગ કરી કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલનું સેન્ડ પોટ્રેટ તૈયાર કર્યું છે. જે માટે એક અઠવાડિયા જેટલો લાગ્યો હતોત્યારે કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલને સેન્ડ પોટ્રેટ અર્પણ કરાતા તેઓએ કેરળ સમાજનો આભાર માન્યો હતો.