સુરત : મોહમ્મદ વાનિયાની 100 ટકા શ્રવણશક્તિની દિવ્યાંગતા છતાં રાઈફલ શુટીંગમાં 11 ગોલ્ડ, 8 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા

સુરતના બેગમપુરા વિસ્તારમાં રહેતા માતા-પિતાની પ્રેરણા, પોતાની અથાગ મહેનતથી મોહમ્મદ વાનિયાએ અત્યાર સુધીમાં 11 ગોલ્ડ, 8 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા

New Update
  • દિવ્યાંગ રાઇફલ શુટરની સફળતા

  • મોહમ્મ્દ વાનિયાને છે 100 ટકા શ્રવણશક્તિની દિવ્યાંગતા

  • રાઇફલ શુટીંગમાં મેળવી સફળતા

  • 11 ગોલ્ડ8 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા

  • વિશ્વ સ્તર પર ભારત દેશનું વધાર્યું ગૌરવ

સુરતના બેગમપુરા વિસ્તારના મોહમ્મદ મુર્તુઝા વાનિયાએ 100 ટકા શ્રવણશક્તિની દિવ્યાંગતા હોવા છતાં પોતાના હિંમતભર્યા પ્રયત્નોથી રાઈફલ શુટીંગમાં ઈન્ટરનેશનલનેશનલ અને સ્ટેટ લેવલ પર ભારતનું ગૌરવ વધારી રહ્યા છે.

સુરતના બેગમપુરા વિસ્તારમાં રહેતા માતા-પિતાની પ્રેરણાપોતાની અથાગ મહેનતથી મોહમ્મદ વાનિયાએ અત્યાર સુધીમાં 11 ગોલ્ડ8 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ગત ઓગસ્ટ-2024માં જર્મનીના હેનોવર શહેરમાં યોજાયેલી બીજી વર્લ્ડ ડેફ શુટીંગ ચેમ્પિયનશીપમાં 100 મીટર એર રાઇફલ મિક્સ ટીમ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુંજેમાં એક સિલ્વર તથા ઇન્ક્યુવિઝલ ઈવેન્ટમાં એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.મોહમ્મદની સફળતાને બિરદાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પત્ર લખી શુભેચ્છા પાઠવી હતી.

દિવ્યાંગ ખેલાડી મોહમ્મદના પિતા મુર્તુઝા વાનિયાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કેબાળપણથી શ્રવણશક્તિની સમસ્યાને કારણે અમને મોહમ્મદનું ભાવિ અત્યંત પડકારજનક ભાસતું હતું. તેથી અમે નક્કી કર્યું કેહિંમતથી પડકારોનો સામનો કરતા શીખવીશું અને સ્વનિર્ભર બનાવવા બાળપણથી જ તૈયાર કરીશું.

માતા રઝિયાબહેને મોહમ્મ્દની દિવ્યાંગતાને સ્વીકારી દીકરાના મનોબળને મજબૂત કરીને તેને આગળ વધવા માટે પ્રેરણા આપી હતી,તેમજ પુત્રની સંભાળ માટે શિક્ષિકાની નોકરી પણ છોડી દીધી. તેનો યોગ્ય ઉછેર થાય એને પ્રાથમિકતા આપી મારી તમામ શક્તિ એની પ્રગતિ માટે સમર્પિત કરી દીધી હતી.આજે જ્યારે તેઓ મોહમ્મદને ભારતનું સન્માનજનક જેકેટ પહેરીને દેશ માટે રમતા જોવે છે,ત્યારે તેઓના ગૌરવની કોઈ હદ રહેતી નથી.આજે મોહમ્મદ પોતાની દિવ્યાંગતાને ઓળંગીને રમતગમતમાં સતત આગળ વધી રહ્યો છે.

Read the Next Article

સુરત : ભાઠા ગામમાં ગૂંગળામણથી ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા કરૂણ મોત, FSLની મદદથી પોલીસે શરૂ કરી તપાસ

જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા

New Update
  • ભાઠામાં સર્જાય ગંભીર ઘટના

  • ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા મોત

  • ગૂંગળામણથી મોત થયા હોવાનું અનુમાન

  • જનરેટરનો ધુમાડો બન્યો મોતનું કારણ

  • પોલીસેFSLની મદદથી શરૂ કરી તપાસ  

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં ત્રણ લોકોનાં મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં એકજ પરિવારના ત્રણ લોકો બાલુ પટેલ ઉં.વ. 77,સીતાબેન પટેલ ઉં.વ.56,વેદાબેન પટેલ ઉં.વ.60ના મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. 

પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે. હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે,કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટેFSLની મદદ લીધી છે. ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.