પરિણામ’માં પણ અનોખો સંયોગ : સુરતના જુડવા ભાઈઓનું એક સરખું જ રિઝલ્ટ, એ-વન ગ્રેડ સાથે ઉતીર્ણ થયા...

સુરત જિલ્લાના વિદ્યાર્થીઓએ માત્ર પરિણામમાં જ નહીં, પરંતુ ગુણવત્તામાં પણ સરખી છાપ છોડી છે. સુરતની ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના 2 જુડવા ભાઈઓએ એક સરખું જ પરિણામ હાંસલ કર્યુ છે.

New Update
  • શિક્ષણ બોર્ડ દ્વારા ધો-10ના વર્ષ 2025ના પરિણામો જાહેર

  • ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના 2 વિદ્યાર્થીઓની અનોખી સિદ્ધિ

  • 2 જુડવા ભાઈઓએ હાંસલ કર્યુ એક સરખું જ પરિણામ

  • રાવળ જીત અને રાવળ જીલનું આવ્યું છે 92% પરિણામ

  • મોટા ભાઈના 554 માર્ક્સતો નાના ભાઈના 552 માર્ક્સ

સુરત જિલ્લાના વિદ્યાર્થીઓએ માત્ર પરિણામમાં જ નહીંપરંતુ ગુણવત્તામાં પણ સરખી છાપ છોડી છે. સુરતની ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના 2 જુડવા ભાઈઓએ એક સરખું જ પરિણામ હાંસલ કર્યુ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના વર્ષ 2025ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે રાજ્યભરનું કુલ પરિણામ 83.08% રહ્યું છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં સુરત જિલ્લાએ પોતાની સફળતાની પરંપરા જાળવી રાખી છે. જે 86.20 % પરિણામ સાથે ટોચના સ્થળે પોતાનું સ્થાન સુદ્રઢ કર્યું છે. તો બીજી તરફસુરતની ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો જીલ રાવળ અને તેનો ભાઈ જીત રાવળ જુડવા ભાઈ છે.

જોકેધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં બન્નેની બેઠક પણ આગળ પાછળ હતી. આજે બન્ને જુડવા ભાઈના ધોરણ 10ના પરિણામ પણ અનોખો સંયોગ રચાયો છે. જેમાં જીલ રાવળ અને જીત રાવળનોA-1 ગ્રેડ આવ્યો છે. મોટા ભાઈના 554 માર્ક્સતો નાના ભાઈએ 552 માર્ક્સ મેળવી 92 ટકા અને 97 પર્સેન્ટાઇલ સાથે બન્નેના રિઝલ્ટ પણ સરખા આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કેબન્ને જુડવા ભાઈઓના સપના પણ એક સરખા હોયતેમ બન્નેને હવે સોફ્ટવેર એન્જિનિયર બનવાની ઈચ્છા છે.

Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.