પરિણામ’માં પણ અનોખો સંયોગ : સુરતના જુડવા ભાઈઓનું એક સરખું જ રિઝલ્ટ, એ-વન ગ્રેડ સાથે ઉતીર્ણ થયા...

સુરત જિલ્લાના વિદ્યાર્થીઓએ માત્ર પરિણામમાં જ નહીં, પરંતુ ગુણવત્તામાં પણ સરખી છાપ છોડી છે. સુરતની ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના 2 જુડવા ભાઈઓએ એક સરખું જ પરિણામ હાંસલ કર્યુ છે.

New Update
  • શિક્ષણ બોર્ડ દ્વારા ધો-10ના વર્ષ 2025ના પરિણામો જાહેર

  • ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના 2 વિદ્યાર્થીઓની અનોખી સિદ્ધિ

  • 2 જુડવા ભાઈઓએ હાંસલ કર્યુ એક સરખું જ પરિણામ

  • રાવળ જીત અને રાવળ જીલનું આવ્યું છે 92% પરિણામ

  • મોટા ભાઈના 554 માર્ક્સતો નાના ભાઈના 552 માર્ક્સ

સુરત જિલ્લાના વિદ્યાર્થીઓએ માત્ર પરિણામમાં જ નહીંપરંતુ ગુણવત્તામાં પણ સરખી છાપ છોડી છે. સુરતની ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના 2 જુડવા ભાઈઓએ એક સરખું જ પરિણામ હાંસલ કર્યુ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના વર્ષ 2025ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે રાજ્યભરનું કુલ પરિણામ 83.08% રહ્યું છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં સુરત જિલ્લાએ પોતાની સફળતાની પરંપરા જાળવી રાખી છે. જે 86.20 % પરિણામ સાથે ટોચના સ્થળે પોતાનું સ્થાન સુદ્રઢ કર્યું છે. તો બીજી તરફસુરતની ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો જીલ રાવળ અને તેનો ભાઈ જીત રાવળ જુડવા ભાઈ છે.

જોકેધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં બન્નેની બેઠક પણ આગળ પાછળ હતી. આજે બન્ને જુડવા ભાઈના ધોરણ 10ના પરિણામ પણ અનોખો સંયોગ રચાયો છે. જેમાં જીલ રાવળ અને જીત રાવળનો A-1 ગ્રેડ આવ્યો છે. મોટા ભાઈના 554 માર્ક્સતો નાના ભાઈએ 552 માર્ક્સ મેળવી 92 ટકા અને 97 પર્સેન્ટાઇલ સાથે બન્નેના રિઝલ્ટ પણ સરખા આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કેબન્ને જુડવા ભાઈઓના સપના પણ એક સરખા હોયતેમ બન્નેને હવે સોફ્ટવેર એન્જિનિયર બનવાની ઈચ્છા છે.

Read the Next Article

સુરત : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાત્વના પાઠવી...

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

New Update
  • અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત

  • રાંદેર વિસ્તારમાં રહેતા ડોક્ટર દંપતીનું પણ ઘટનામાં મોત

  • મૃતકના પરિવારને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાઠવી સાત્વના

  • ડો. હિતેશ શાહે ઘણા વર્ષો સુધી લોકસેવા કરી : હર્ષ સંઘવી

  • મૃતકના પરિવારને શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

ગત તા. 12મી જૂન-2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરત શહેર અને જિલ્લામાં રહેતા 14 જેટલા લોકોમાંથી અત્યાર સુધીમાં 9 લોકોના DNA મેચ થઇ ગયા બાદ રાંદેર ખાતે રહેતા મૃતક ડોક્ટર દંપતી ડો. હિતેશ શાહ અને પત્ની અમિતા શાહના મૃતદેહ સુરત લવાયા હતા. ત્યારબાદ પરિવારજનો દ્વારા ડોક્ટર દંપતીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતાત્યારે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીવન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ રાંદેર ખાતે મૃતક ડોક્ટર દંપતીના નિવાસ્થાને તેમના પરિવારને મળવા પહોંચ્યા હતાજ્યાં શાહ પરિવારના સભ્યોને સાત્વના પાઠવવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કેસુરતમાં ગરીબોના મસીહા તરીકે ઓળખાતા ડોક્ટર હિતેશ શાહએ ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં લોકોની સેવા કરી છે. તેઓ ખૂબ સારા સર્જન હતાઅને તે પોતાના ધર્મપત્ની સાથે અમદાવાદથી યુકે તેમની બહેનને મળવા જતા હતાઅને પ્લેન ક્રેશની દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે. આ દુખદ ઘટનામાં ભગવાન મૃતક ડોક્ટર દંપતીના પરિવારને શક્તિ આપે તેવી પણ હર્ષ સંઘવીએ પ્રાર્થના કરી હતી.