સુરેન્દ્રનગર : થાનગઢમાં મરચાની ભુકી નાંખી 50 લાખ રૂપિયાની દિલધડક લુંટ, ત્રણેય લુંટારૂ CCTVમાં દેખાયાં

New Update
સુરેન્દ્રનગર : થાનગઢમાં મરચાની ભુકી નાંખી 50 લાખ રૂપિયાની દિલધડક લુંટ, ત્રણેય લુંટારૂ CCTVમાં દેખાયાં

સુરેન્દ્રનગરના થાનગઢમાં આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભુકી નાંખી 50 લાખ રૂપિયા ભરેલાં થેલાની લુંટ ચલાવી ત્રણ લુંટારૂઓ ફરાર થઇ ગયાં છે.

સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢની મહાલક્ષી શેરીમાં રહેતા ભરત દવેએ સુરેન્દ્રનગર પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી કે, થાનગઢ મહાલક્ષ્મી શેરીમાં રહેતા વિરલ ગાંધી એમના રહેણાંક મકાનેથી રૂ. 50 લાખ રોકડા લઇને એકટીવાની આગળના ભાગે મુકીને આંગડીયા પેઢી તરફ જઇ રહયાં હતાં. તે વેળા ડોક્ટર રાણા સાહેબના દવાખાના વાળી ગલીમાં પહોંચતા સામેથી પગપાળા આવેલાં ત્રણ અજાણ્યા ઇસમોએ વિરલ ગાંધી ઉપર મરચાની ભૂકી  છાંટી ઝપાઝપી કરી એમની પાસે એક્ટીવા પર રાખેલો રૂ. 50 લાખનો થેલો તફડાવી ફરાર થઇ ગયા હતાં. રોકડ રકમ ભરેલો થેલો આંચકી ત્રણેય લુંટારૂઓ નંબર પ્લેટ વિનાની બાઇક પર નાસી છુટયાં હતાં. લુંટ કરીને ફરાર થયેલા ત્રણેય શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ફરીયાદના આધારે સુરેન્દ્રનગર પોલીસ કન્ટ્રોલ રૂમ તરફથી રાજકોટ સીટી અને ગ્રામ્ય, મોરબી, અમદાવાદ સીટી અને ગ્રામ્ય, બોટાદ, અમરેલી, જામનગર, ભાવનગર, મહેસાણા, પાટણ, કચ્છ અને ગાંધીધામ સહિતના જીલ્લાની પોલીસને જાણ કરી છે. લુંટારૂઓને ઝડપી પાડવા ઠેર ઠેર નાકાબંધી કરવામાં આવી છે.

Read the Next Article

પીએમ મોદીને બ્રાઝિલ સરકારના સર્વોચ્ચ સન્માન 'નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ'થી કરાયા સન્માનિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રાઝિલ સરકારના સર્વોચ્ચ સન્માન 'નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ'થી નવાજવામાં આવ્યા છે. આ સન્માન બ્રાઝિલ સરકાર દ્વારા બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય

New Update
pm  modi ac

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રાઝિલ સરકારના સર્વોચ્ચ સન્માન 'નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ'થી નવાજવામાં આવ્યા છે.

આ સન્માન બ્રાઝિલ સરકાર દ્વારા બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર વ્યક્તિઓને આપવામાં આવે છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત અને બ્રાઝિલના રાજકીય, આર્થિક અને સામાજિક ક્ષેત્રોમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે આ સન્માન આપવામાં આવ્યું છે.

'નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ' બ્રાઝિલનો સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન છે, જે સામાન્ય રીતે વિદેશી દેશોના અગ્રણી નેતાઓ અને રાષ્ટ્રોની પ્રતિષ્ઠિત હસ્તીઓને આપવામાં આવે છે. આ સન્માનની શરૂઆત 1822માં કરવામાં આવી હતી અને આ દ્વારા બ્રાઝિલ તેના વૈશ્વિક સાથીઓ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. નરેન્દ્ર મોદી ઉપરાંત, ઘણા અન્ય વૈશ્વિક નેતાઓને પણ આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તે આપણા ઊંડા પરસ્પર વિશ્વાસનું પ્રતીક છે. આપણે આપણા સંરક્ષણ ઉદ્યોગોને જોડવાના આપણા પ્રયાસો ચાલુ રાખીશું. એઆઇ અને સુપર કોમ્પ્યુટરમાં આપણો સહયોગ વધી રહ્યો છે. આ સમાવિષ્ટ વિકાસ અને માનવ-કેન્દ્રિત નવીનતાની આપણી સમાન વિચારસરણીનો પુરાવો છે.