વડોદરા : ગણેશજીની આગમન યાત્રા દરમ્યાન સર્જાયા નાસભાગના દ્રશ્યો, પોલીસે મામલો થાળે પાડ્યો.

પથ્થરમારો થયો હોવાની અફવા ફેલાતા યાત્રામાં જોડાયેલા ભક્તોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. જોકે, મામલો વધુ ઉગ્ર બને તે પહેલાં પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો.

New Update

વડોદરામાં ગણેશજીને આવકારવા થનગનાટ

શ્રીજીની આગમન યાત્રા વેળા મચી નાસભાગ

શોભાયાત્રા દરમ્યાન અંદરોઅંદર થઈ ગેરસમજ

યાત્રામાં લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા

પોલોસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો

 વડોદરા શહેરમાં શ્રીજીની આગમન યાત્રા ઉપર પથ્થરમારો થયો હોવાની અફવા ફેલાતા યાત્રામાં જોડાયેલા ભક્તોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. જોકેમામલો વધુ ઉગ્ર બને તે પહેલાં પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો.

આગામી તા. 7 સપ્ટેમ્બરથી ગણેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છેત્યારે વિવિધ ગણેશ મંડળો દ્વારા શ્રીજીને વાજતેગાજતે પંડાલમાં લઇ આવવાની શરૂઆત કરી દેવામાં આવી છેત્યારે વડોદરા શહેરના કરોડિયા ગામના શ્રીજીની આગમન યાત્રા ગત મોડીરાત્રે નીકળી હતી.

એક તરફ વરસાદ વરસી રહ્યો હતો. તો બીજી તરફઆ યાત્રા નીકળી હતી. આ દરમ્યાન ડીજે કેજેની ઉંચાઈ વધુ હતીતેને વાયર નડતા દૂર ઊભું હતુંત્યારે ડીજે અને ગણેશજીની પ્રતિમા વચ્ચેનું અંતર વધતા કેટલાક લોકોએ એવી અફવા ફેલાવી હતી કેપથ્થરમારો થયો છે.

જેના પગલે નાસભાગ મચી હતી. ભક્તોમાં ભારે ભાગદોડ મચતા કેટલાક લોકો પોતાના પગરખા પણ ત્યાં જ છોડીને ભાગી ગયા હતા. શ્રીજીની આગમન યાત્રા સાથે પોલીસ બંદોબસ્ત હતો જ. પરંતુ ભાગદોડ થતાં પોલીસે પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ભાગદોડમાં કેટલાક વાહનોને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

Latest Stories