/connect-gujarat/media/post_banners/165a70796683c4f9c857d215d57f0fa8cbdf00400b981bea2256a72b1215c578.webp)
ગરમીની સિઝનમાં ફળ અને શાકભાજીને યોગી રીતે સાચવવા માટે એક રેફ્રીજરેટર જ સહારો હોય છે. અને વધુ પ્રમાણમા ફ્રિજનો ઉપયોગ થતો હોય છે. જો તમે પણ રેફ્રીજરેટરનો ઉપયોગ કરો છો તો તમારે એ જાની લેવું જોઈએ કે રેફ્રીજરેટરની સર્વિસ સમયે સમયે કરવી લેવી જોઈએ. નહિતર રેફ્રીજરેટર ખરાબ થવાની અથવા તો બ્લાસ્ટ થવાની સંભાવના રહે છે. બંને માં નુકશાન તમારું જ છે. જો રેફ્રીજરેટરમાં બ્લાસ્ટ થાય તો તમારા જીવને પણ જોખમ છે. તો આવો જાણીએ રેફ્રીજરેટરમાં ક્યાં સમયે બ્લાસ્ટ થવાની શક્યતા છે.
કંપ્રેસર ખરાબ થાય ત્યારે થાય છે બ્લાસ્ટ
રેફ્રિજરેટરનો મેઇન પાર્ટ કંપ્રેસર હોય છે. તેની અંદર કૂલિંગ ગેસ હોય છે જે, ઇલેક્ટ્રિસિટીની સપ્લા થવા પર આખા રેફ્રિજરેટરને અંદરથી ઠંડુ રાખે છે. પરંતુ ઘણીવાર ઓછામાં ઓછુ વર્ષમાં એકવાર ટેક્નીશિયન પાસે રેફ્રિજરેટરની તપાસ જરૂર કરાવી લેવી જોઇએ.
કંપ્રેસરમાં ખોટો ગેસ ભરવાથી થાય છે બ્લાસ્ટ
ઘણીવાર એવું જોવા મળ્યું છે કે, કંપ્રેસરમાં ખોટો ગેસ ભરી દેવામાં આવ્યો છે, જેના કારણે રેફ્રિજરેટરમાં બ્લાસ્ટ થાય છે. તમને જણાવી દઇએ કે રેફ્રિજરેટર બનાવતી તમામ કંપનીઓ પોતાના ફ્રિજના કંપ્રેસરમાં અલગ-અલગ ગેસ યુઝ કરે છે. જેના કારણે ઘણીવાર ટેક્નીશિયન કંપ્રેસરમાં ખોટો ગેસ ભરી દે છે અને તે બ્લાસ્ટનું કારણ બને છે.
કોઇલમાં લીકેજથી બ્લાસ્ટ
ઘરમાં રહેલા ફ્રિજમાં તમે બેક સાઇડમાં જોયુ હશે કે, એક પાઇપની બનેલી હોય જેવી જાળી છે. આ રેફ્રિજરેટરની કૂલિંગ કોઇલ હોય છે. કંપ્રેસર તેમાંથી ગેસ સપ્લાય કરીને રેફ્રિજરેટરને અંદરથી ઠંડુ કરે છે. ઘણીવાર કૂલિંગ કોઇલમાં લીકેજ થઇ જાય છે જે ભીષણ બ્લાસ્ટનું કારણ બની શકે છે. કારણ કે તમામ કંપ્રેસરમાં ભરવામાં આવતો ગેસ જ્વલનશીલ હોય છે.