શ્રાવણ મહિનાના સુદ પક્ષની તીજ એટલે હરિયાળી તીજ, આ દિવસે પતિ-પત્નીએ એકસાથે શિવ-પાર્વતીની પૂજા કરવી

New Update
શ્રાવણ મહિનાના સુદ પક્ષની તીજ એટલે હરિયાળી તીજ, આ દિવસે પતિ-પત્નીએ એકસાથે શિવ-પાર્વતીની પૂજા કરવી

ગુરુવાર, 23 જુલાઈએ શ્રાવણ મહિનાના સુદ પક્ષની તીજ તિથિ છે. જેને હરિયાળી તીજ કહેવામાં આવે છે. આ દિવસે દેવી પાર્વતીની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. આ તિથિ પરણિત મહિલાઓ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. મહિલાઓ પતિના સૌભાગ્ય અને સ્વસ્થ જીવનની કામનાથી વ્રત કરે છે. હરિયાળી તીજના દિવસે મહિલાઓ સાથે જ તેમના પતિએ પણ શિવ-પાર્વતીની પૂજા કરવી જોઇએ.

હરિયાળી તીજના દિવસે પતિ-પત્ની બંનેએ સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા બાદ ઘરના મંદિરમાં પૂજા કરવાનો સંકલ્પ લેવો. સૌથી પહેલાં ગણેશ પૂજન કરવું. ગણેશજીને સ્નાન કરાવો. વસ્ત્ર અર્પણ કરો. ગંધ, ફૂલ, ચોખાથી પૂજા કરો. ત્યાર બાદ શિવ-પાર્વતીની પૂજા કરો.

શિવ-પાર્વતીની મૂર્તિ સ્થાપિત કરો. જો શિવલિંગ હોય તો સાથે દેવીની પ્રતિમા પણ રાખો. તેમને લાલ કપડા ઉપર રાખો. ભગવાનનો અભિષેક જળ અને પંચામૃત દ્વારા કરો. વસ્ત અર્પણ કરો. બીલીપત્ર , ધતૂરો અને આંકડાના ફૂલ ચઢાવો.

ફૂલની માળા પહેરાવો. તિલક કરો. ૐ સામ્બ શિવાય નમઃ નો જાપ કરતાં ભગવાન શિવને અષ્ટગંધનું તિલક લગાવો. ૐ ગૌર્ય નમઃનો જાપ કરતાં માતા પાર્વતીને કંકુનું તિલક લગાવો. ધૂપ અને દીપ પ્રગટાવો. ભોગ ધરાવો. આરતી કરો. પૂજામાં ૐ ઉમા મહેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો.

Read the Next Article

PM મોદીને નામીબિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન, રાષ્ટ્રપતિએ એવોર્ડથી કર્યા સન્માનિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'Order of the Most Ancient Welwitschia Mirabilis'થી નવાજવામાં આવ્યા હતા. આ પુરસ્કારની સ્થાપના 1995

New Update
pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'Order of the Most Ancient Welwitschia Mirabilis'થી નવાજવામાં આવ્યા હતા. આ પુરસ્કારની સ્થાપના 1995 માં વિશિષ્ટ સેવા અને નેતૃત્વને માન્યતા આપવા માટે કરવામાં આવી હતી.

આ પુરસ્કારનું નામ ખૂબ જ દુર્લભ અને પ્રાચીન રણના છોડ વેલ્વિટ્શિયા મિરાબિલિસ પરથી રાખવામાં આવ્યું છે, જે ફક્ત નામિબિયામાં જ જોવા મળે છે. આ છોડને સંઘર્ષ, દીર્ધાયુષ્ય અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે અને આ ભાવના આ સન્માન દ્વારા પ્રતિબિંબિત થાય છે.

તમને જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નામિબિયાના રાષ્ટ્રપતિ ડૉ. નેતુમ્બો નંદી-ન્દૈત્વ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. આમાં ભારત-નામિબિયા સંબંધોની સમીક્ષા કરવામાં આવી હતી. બંને નેતાઓએ ડિજિટલ ટેકનોલોજી, સંરક્ષણ, સુરક્ષા, કૃષિ, આરોગ્ય, શિક્ષણ અને મહત્વપૂર્ણ ખનિજો જેવા ક્ષેત્રોમાં સહયોગ વિશે વિગતવાર ચર્ચા કરી હતી.પીએમ મોદીએ X પરની એક પોસ્ટમાં કહ્યું કે અમે વેપાર, ઉર્જા અને પેટ્રોકેમિકલ ક્ષેત્રોમાં પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરી. પ્રધાનમંત્રી મોદીએ 'પ્રોજેક્ટ ચિત્તા'માં નામિબિયા તરફથી મળેલા સહયોગ બદલ ખાસ આભાર વ્યક્ત કર્યો.

Latest Stories