દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના બે મહિનાના સૌથી ઓછા કેસ નોંધાયા જ્યારે 2427 સંક્રમિતોના મોત

New Update
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 લાખ 14 હજાર નવા કેસ નોંધાયા; 3915 લોકોનાં મોત

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હવે નબળી પડી હોય તેમ લાગે છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક લાખ 636 નવા કેસ નોંધાયા છે. જ્યારે ગઈકાલે 2427 લોકોનાં મોત થયાં હતાં. જોકે ગઈકાલે એક લાખ 74 હજાર 399 લોકો પણ સાજા થયા છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા કેસો 61 દિવસમાં સૌથી ઓછા છે. આ પહેલા 7 એપ્રિલે સૌથી ઓછા કેસ નોંધાયા હતા, ત્યારબાદ એક દિવસમાં એક લાખ 15 હજારથી વધુ કેસ નોંધાયા હતા. મંત્રાલયે માહિતી આપી છે કે હવે દેશમાં દૈનિક પોઝિટિવિટી દર 6.34 ટકા થઈ ગયો છે.

સાથે જ દેશમાં કોરોના સંક્રમિત સરદીઓની કુલ સંખ્યા બે કરોડ 89 લાખ 9 હજાર 975 છે જ્યારે કુલ બે કરોડ 71 લાખ 59 હજાર 180 દર્દીઓ સાજા થયા છે. કોરોનાના કારણે મૃત્યુ પામનારની કુલ સંખ્યા ત્રણ લાખ 49 હજાર 186 થઈ છે જ્યારે દેશમાં હજી કુલ 14 લાખ 01 હજાર 609 એક્ટિવ કેસ છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ રસીના 13 લાખ 90 હજાર 916 ડોઝ લાગુ થયા છે, જે પછી કુલ રસીકરણનો આંકડો 23 કરોડ 27 લાખ 86 હજાર 482 પર પહોંચી ગયો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ માહિતી આપી છે કે ગઈકાલે ભારતમાં કોરોના વાયરસના 15 લાખ 87 હજાર 589 નમૂનાઓ લેવામાં આવ્યા છે. જે બાદ ગઈકાલ સુધીમાં કુલ 36 કરોડ 63 લાખ 34 હજાર 111 નમૂના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Read the Next Article

ઓપરેશન સિંધુ : ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા, ઈરાનથી 110 વિદ્યાર્થીઓ વહેલી સવારે દિલ્હી પહોંચ્યા

ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ ઈરાનથી પરત ફરી છે.

New Update
iran

ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ ઈરાનથી પરત ફરી છે. ભારતીય વિદ્યાર્થીઓને લઈને ઈરાનથી આવેલું વિમાન આજે વહેલી સવારે દિલ્હી પહોંચ્યું હતું. ઇરાનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓએ ઈરાનની પરિસ્થિતિનું વર્ણન કર્યું. આ બધા વિદ્યાર્થીઓ ઈરાનના ઉર્મિયાથી પાછા ફર્યા છે. બધા વિદ્યાર્થીઓ ઉર્મિયા યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે, પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને આશા વ્યક્ત કરી કે, પરિસ્થિતિમાં સુધારો થશે અને તેમનો અભ્યાસ ફરી શરૂ થશે.

વાસ્તવમાં યુદ્ધગ્રસ્ત ઈરાનથી 100 વિદ્યાર્થીઓને આર્મેનિયા લઈ જવામાં આવ્યા હતા. આ પછી ગુરુવારે વહેલી સવારે તેમની ફ્લાઇટ દિલ્હીમાં ઉતરી. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે બોમ્બમારો ચાલુ છે. ઈરાન પર સતત મિસાઈલોથી હુમલો થઈ રહ્યો છે ત્યારે ભારતીય વિદ્યાર્થીઓને તેહરાનથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ 'ઓપરેશન સિંધુ' હેઠળ મંગળવારે 110 વિદ્યાર્થીઓએ આર્મેનિયાની સરહદ પાર કરી હતી.