જો તમે વર્લ્ડકપ જોવા અમદાવાદ આવ્યા હોય તો આ સ્થળની અચૂક મુલાકાત લેજો……

અમદાવાદ આવ્યા છો તો ફાઇનલ જોવાની સાથે આ સ્થળની પણ મુલાકાત અચૂક લેજો

New Update
જો તમે વર્લ્ડકપ જોવા અમદાવાદ આવ્યા હોય તો આ સ્થળની અચૂક મુલાકાત લેજો……

ODI વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચ જોવા માટે મોટી સંખ્યામાં લોકો અમદાવાદ પહોચી રહ્યા છે. એવામાં જો તમે પણ અમદાવાદ આવ્યા છો તો ફાઇનલ જોવાની સાથે આ સ્થળની પણ મુલાકાત અચૂક લેજો.

Advertisment W3.CSS

લો ગાર્ડન

અમદાવાદમાં લો ગાર્ડન ખૂબ જ પ્રખ્યાત અને સુંદર પર્યટક સ્થળ છે. અમદાવાદમા હજાર આ બગીચો ખૂબ જ સુંદર છે. આ બગીચાની બહાર એક બજાર પણ આવેલી છે. આ બગીચાનું આયોજન સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવે છે. આમાં તમને સ્થાનિક લોકો દ્વારા બનાવવામાં આવેલી હેંડીક્રાફ્ટની વસ્તુઓ જોવા મળશે. બજારની બહાર ફેરિયા વાળાઓ પણ જોવા મળશે જ્યાં તમને ખાદ્યની ચીજો મળી રહેશે.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

કાંકરીયા તળાવ

આમદવાદનું બીજું આકર્ષણ કાંકરીયા તળાવ છે. આ એક ખૂબ જ પ્રખ્યાત પિકનિક સ્પોટ છે. અહીં તમને અનેક પ્રકારની મનમોહક અને આનંદ માણી શકાય તેવી વસ્તુઓ મળી રહેશે. અહીં તમે ટોયટ્રેનની સવારી, બોટ રાઈડ, બલૂન રાઈડ, જેવી બીજી ઘણી પ્રવૃતિનો આનંદ માણી શકો છો.

સ્વામીનારાયણ મંદિર

અમદાવાદનું સ્વામિનારાયણનું મંદિર સૌથી પ્રખ્યાત ધાર્મિક સ્થળોમાનું એક છે. આ મંદિર ખૂબ જ ભવ્ય અને સુંદર છે. લોકો દૂર દૂરથી અહીં આ મંદિરના દર્શન કરવા માટે આવે છે. સ્વામિનારાયણ મંદીર ભગવાન નારાયણને સમર્પિત છે. તેનું આર્કિટેક્ચર ખૂબ જ સુંદર છે. જો તમે અમદાવાદમા હોવ તો આ મંદિરના દર્શન કરવાનું ના ચુકતા.

સાબરમતી આશ્રમ

અમદાવાદના સાબરમતી આશ્રમ વિષે સૌ કોઈ જાણે છે. આ પણ ખૂબ જ પ્રખ્યાત પર્યટક સ્થળ છે. આ આશ્રમમાં ગાંઘીજીના ખાદીના કુર્તા અને પત્ર હજી પણ હજાર છે. આ સાથે જ અહીં ઉપાસના મંદિર અને ગાંધી મ્યુઝિયમ પણ આવેલું છે. તમે અહીં મહાત્મા ગાંધી સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ વિષે પણ માહિતી મેળવી શકો છો.

માણેક ચોક

તમે અમદાવાદનાં માણેક ચોકની પણ મુલાકાત લઈ શકો છો. આ જગ્યા અનેક પ્રકારની જૂની પુરાણી ઇમારતોથી ધેરાયેલી છે. માણેક ચોકમાં સવારે શાક માર્કેટ ભરાય છે. બપોરના સમયે તે કરન્સી માર્કેટમાં ફેરવાઇ જાય છે. અને રાતે તે સ્ટ્રીટ ફૂડના વિવિધ સ્ટોલથી ભરાઈ જાય છે.   

Read the Next Article

દિલ્લી થી થોડીક જ દૂર છે છોટા હરિદ્વાર, મિત્રો અને પરિવાર સાથે લઈ શકો છો મુલાકાત

તે તમને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ અનુભવ તો આપશે જ, પરંતુ શહેરની ધમાલથી દૂર શાંતિપૂર્ણ ક્ષણો વિતાવવાની તક પણ આપશે. તો ચાલો જાણીએ કે આ છોટા હરિદ્વાર દિલ્હીથી કેટલું દૂર છે અને અહીં શું ખાસ છે?

New Update
haridwar 02

જો તમે શાંત, પવિત્ર અને યાદગાર કૌટુંબિક પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, તો 'છોટા હરિદ્વાર' ની મુલાકાત ચોક્કસ લો.

Advertisment W3.CSS

તે તમને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ અનુભવ તો આપશે જ, પરંતુ શહેરની ધમાલથી દૂર શાંતિપૂર્ણ ક્ષણો વિતાવવાની તક પણ આપશે. તો ચાલો જાણીએ કે આ છોટા હરિદ્વાર દિલ્હીથી કેટલું દૂર છે અને અહીં શું ખાસ છે?

જો તમે દિલ્હી-એનસીઆરમાં રહો છો અને એક શાંત, પવિત્ર અને આધ્યાત્મિક સ્થળ શોધી રહ્યા છો જ્યાં તમે તમારા પરિવાર સાથે શાંતિપૂર્ણ ક્ષણો વિતાવી શકો. લોકો ગંગામાં સ્નાન કરવા અને ગંગા કિનારે બેસીને શાંતિપૂર્ણ ક્ષણો વિતાવવા માટે હરિદ્વાર જાય છે. પરંતુ ઘણીવાર સમયના અભાવે, લોકો હરિદ્વાર જવાનો પ્લાન બનાવી શકતા નથી. પરંતુ શું તમે જાણો છો કે હવે તમારે હરિદ્વાર જેવો અનુભવ મેળવવા માટે હરિદ્વાર જવાની જરૂર રહેશે નહીં. તેના બદલે, છોટા હરિદ્વાર દિલ્હીથી માત્ર થોડી મિનિટો દૂર છે જ્યાં તમે ગંગા આરતીનો અનુભવ કરી શકો છો.

હા, 'છોટા હરિદ્વાર' દિલ્હીથી બહુ દૂર નથી, અને તેનું ધાર્મિક અને કુદરતી સૌંદર્ય દરેકને મોહિત કરે છે. આ સ્થળ ફક્ત ભક્તો માટે જ નહીં પરંતુ સપ્તાહના અંતે શાંતિ અને કુદરતી સૌંદર્ય વચ્ચે સમય વિતાવવા માંગતા લોકો માટે પણ ખાસ છે. તો ચાલો જાણીએ કે આ છોટા હરિદ્વાર ક્યાં છે અને અહીં કેવી રીતે પહોંચવું.

'છોટા હરિદ્વાર' તરીકે પ્રખ્યાત આ સ્થળ વાસ્તવમાં ગાઝિયાબાદના મુરાદનગરમાં આવેલું છે. જેને લોકો ભક્તિ અને શ્રદ્ધાના પ્રતીક તરીકે જુએ છે. અહીં એક સુંદર ઘાટ છે જે હરિદ્વારના ગંગા ઘાટની યાદ અપાવે છે. ભક્તો અહીં પૂજા, સ્નાન અને ધ્યાન માટે આવે છે. આ સ્થળને 'છોટા હરિદ્વાર' કહેવામાં આવે છે કારણ કે અહીંનું વાતાવરણ, ઘાટની રચના અને નદીના કિનારે યોજાતો ધાર્મિક કાર્યક્રમ, બધું જ હરિદ્વારની ઝલક આપે છે.

આ સ્થળ સપ્તાહના અંતે પરિવાર સાથે જવા માટે યોગ્ય છે. તે દિલ્હીથી માત્ર થોડા કલાકના અંતરે આવેલું છે. અહીં તમે શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો. ઘાટ અને આસપાસનો વિસ્તાર સ્વચ્છ છે અને પરિવાર સાથે મુલાકાત લેવા યોગ્ય છે. મંદિરોની સુંદરતા, નદી કિનારા અને ઘાટની રચના ફોટોગ્રાફીના શોખીનોને ગમશે.

દિલ્હીના આનંદ વિહારથી મુરાદનગર સુધી 'નમો ભારત' સેમી હાઇ-સ્પીડ ટ્રેન સેવા ઉપલબ્ધ છે. આ મુસાફરીમાં લગભગ 22-23 મિનિટનો સમય લાગે છે અને સ્ટાન્ડર્ડ કોચ માટે ભાડું 80 રૂપિયા અને પ્રીમિયમ કોચ માટે 95 રૂપિયા છે. જો તમે રોડ દ્વારા જવા માંગતા હો, તો દિલ્હીથી મુરાદનગરનું અંતર લગભગ 50 કિમી છે, જે તમે કાર અથવા બાઇક દ્વારા લગભગ 1-1.5 કલાકમાં પૂર્ણ કરી શકો છો. આ ઉપરાંત, દિલ્હીથી મુરાદનગર સુધી બસો અને ટ્રેનો પણ ઉપલબ્ધ છે.