જો તમે વર્લ્ડકપ જોવા અમદાવાદ આવ્યા હોય તો આ સ્થળની અચૂક મુલાકાત લેજો……

અમદાવાદ આવ્યા છો તો ફાઇનલ જોવાની સાથે આ સ્થળની પણ મુલાકાત અચૂક લેજો

New Update
જો તમે વર્લ્ડકપ જોવા અમદાવાદ આવ્યા હોય તો આ સ્થળની અચૂક મુલાકાત લેજો……

ODI વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચ જોવા માટે મોટી સંખ્યામાં લોકો અમદાવાદ પહોચી રહ્યા છે. એવામાં જો તમે પણ અમદાવાદ આવ્યા છો તો ફાઇનલ જોવાની સાથે આ સ્થળની પણ મુલાકાત અચૂક લેજો.

લો ગાર્ડન

અમદાવાદમાં લો ગાર્ડન ખૂબ જ પ્રખ્યાત અને સુંદર પર્યટક સ્થળ છે. અમદાવાદમા હજાર આ બગીચો ખૂબ જ સુંદર છે. આ બગીચાની બહાર એક બજાર પણ આવેલી છે. આ બગીચાનું આયોજન સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવે છે. આમાં તમને સ્થાનિક લોકો દ્વારા બનાવવામાં આવેલી હેંડીક્રાફ્ટની વસ્તુઓ જોવા મળશે. બજારની બહાર ફેરિયા વાળાઓ પણ જોવા મળશે જ્યાં તમને ખાદ્યની ચીજો મળી રહેશે.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

કાંકરીયા તળાવ

આમદવાદનું બીજું આકર્ષણ કાંકરીયા તળાવ છે. આ એક ખૂબ જ પ્રખ્યાત પિકનિક સ્પોટ છે. અહીં તમને અનેક પ્રકારની મનમોહક અને આનંદ માણી શકાય તેવી વસ્તુઓ મળી રહેશે. અહીં તમે ટોયટ્રેનની સવારી, બોટ રાઈડ, બલૂન રાઈડ, જેવી બીજી ઘણી પ્રવૃતિનો આનંદ માણી શકો છો.

સ્વામીનારાયણ મંદિર

અમદાવાદનું સ્વામિનારાયણનું મંદિર સૌથી પ્રખ્યાત ધાર્મિક સ્થળોમાનું એક છે. આ મંદિર ખૂબ જ ભવ્ય અને સુંદર છે. લોકો દૂર દૂરથી અહીં આ મંદિરના દર્શન કરવા માટે આવે છે. સ્વામિનારાયણ મંદીર ભગવાન નારાયણને સમર્પિત છે. તેનું આર્કિટેક્ચર ખૂબ જ સુંદર છે. જો તમે અમદાવાદમા હોવ તો આ મંદિરના દર્શન કરવાનું ના ચુકતા.

સાબરમતી આશ્રમ

અમદાવાદના સાબરમતી આશ્રમ વિષે સૌ કોઈ જાણે છે. આ પણ ખૂબ જ પ્રખ્યાત પર્યટક સ્થળ છે. આ આશ્રમમાં ગાંઘીજીના ખાદીના કુર્તા અને પત્ર હજી પણ હજાર છે. આ સાથે જ અહીં ઉપાસના મંદિર અને ગાંધી મ્યુઝિયમ પણ આવેલું છે. તમે અહીં મહાત્મા ગાંધી સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ વિષે પણ માહિતી મેળવી શકો છો.

માણેક ચોક

તમે અમદાવાદનાં માણેક ચોકની પણ મુલાકાત લઈ શકો છો. આ જગ્યા અનેક પ્રકારની જૂની પુરાણી ઇમારતોથી ધેરાયેલી છે. માણેક ચોકમાં સવારે શાક માર્કેટ ભરાય છે. બપોરના સમયે તે કરન્સી માર્કેટમાં ફેરવાઇ જાય છે. અને રાતે તે સ્ટ્રીટ ફૂડના વિવિધ સ્ટોલથી ભરાઈ જાય છે.   

Read the Next Article

જો તમારે સિંહના નજીકથી દર્શન કરવા હોય, તો ગુજરાતના આ સ્થળની લો મુલાકાત

દર વર્ષે 10 ઓગસ્ટના દિવસે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો ચાલો આજે આપણે જાણીએ ગુજરાતમાં તમે ક્યાં સ્થળો પર સિંહના નજીકના દર્શન કરી શકો.

New Update
lion

ભારતમાં સતત સિંહોની સંખ્યા ઓછી થઈ રહી છે. જેને લઈ જાગ્રૃતા ફેલાવવા માટે વર્લ્ડ લાયન ડેની ઉજવણી કરવામાં આવે છે.

દર વર્ષે 10 ઓગસ્ટના દિવસે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો ચાલો આજે આપણે જાણીએ ગુજરાતમાં તમે ક્યાં સ્થળો પર સિંહના નજીકના દર્શન કરી શકો.

દર વર્ષે 10 ઓગસ્ટના દિવસે વર્લ્ડ લાયન ડે તરીકે મનાવવામાં આવે છે.આ દિવસનો ઉદ્દેશ સિંહોની ઓછી થતી વસ્તીને લઈ જાગ્રુરતા ફેલાવવાનો છે. ભારતમાં સિંહ દર્શન કરવા એક અલગ જ મજા છે. ભારતમાં પહેલા સિંહની સંખ્યા વધારે હતી પરંતુ હવે ધીમે ધીમે આ સંખ્યા ઓછી થઈ રહી છે.

ભારતમાં સતત સિંહોની સંખ્યા ઓછી થઈ રહી છે. તેની પાછળ અનેક કરાણો જવાબદાર છે. જેમાંથી સૌથી પહેલું કારણ જંગલની કાપણી અને શહેરી કરણના કારણે જંગલોને કાપવામાં આવી રહ્યા છે. જેના કારણે સિહંને ફરવા અને રહેવાની જગ્યા ઓછી થઈ રહી છે.

હજુ પણ ભારતના કેટલાક એવા સ્થળો છે, જ્યાં તમને સિંહ જોવા મળે છે.આ સ્થળોએ જંગલ સફારી કરતી વખતે તમે જંગલના રાજા સિંહને જોઈ શકો છો. તો જો તમે પણ સિંહને નજીકથી જોવા માંગતા હો, તો ચાલો અમે તમને જણાવીએ કે તમે ગુજરાતમાં ક્યાં જઈ શકો છો.

ગુજરાતમાં તમે જો પરિવાર સાથે સિંહ દર્શનનો પ્લાન બનાવો છો. તો ગુજરાતનું ગીર નેશનલ પાર્ક સૌથી બેસ્ટ માનવામાં આવે છે. અહી તમે સિંહને જંગલ સફારી કરીને પણ જોઈ શકો છો. આ એક ગાઢ જંગલ છે. જ્યાં સિંહો આરામથી રહે છે.

જ્યાં તમે સિંહને નજીકથી જોઈ શકો છો. અહીં તમે સિંહને ચાલતા અને આરામ કરતો જોઈ શકો છો.જો તમે વન્યજીવનનો આનંદ માણવા માંગતા હો, તો ગીર નેશનલ પાર્કની મુલાકાત લેવાનો પ્લાન બનાવો. જંગલ સફારી દરમિયાન સિંહ અને દીપડા અહીં સરળતાથી ફરતા જોવા મળે છે. જાણો મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય કયો છે?

જો તમે ફ્લાઈટ દ્વારા જવા માંગો છો તો રાજકોટ સુધી ફ્લાઈટમાં જઈ ત્યાંથી બાય રોડ જઈ શકો છો. ગિરનું સૌથી નજીકનું એરપોર્ટ દીવ પણ છે.

અહીથી તમે કાર દ્વારા કે બસ દ્વારા ગીર નેશનલ પાર્ક પહોંચી શકો છો.ટ્રેન દ્વારા તમે વેરાવળ રેલવે સ્ટેશનથી માત્ર 70 કિમી દુર ગીર નેશનલ પાર્ક આવેલું છે.જો કારથી જવું છે, તો તમે સરળતાથી રાજકોટ,જૂનાગઢ થઈ ગીર નેશનલ પાર્ક પહોંચી શકો છો.

ગીર નેશનલ પાર્કમાં સૌથી મોટું આકર્ષણ જંગલ સફારી છે. તમે ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે ફોરેસ્ટ સફારી બુક કરાવી શકો છો. અહીં પહોંચ્યા પછી તમે સફારી પણ બુક કરાવી શકો છો. જંગલ સફારીનો સમય સવારે 6:30 થી 9:30 વાગ્યા સુધીનો છે. બીજો રાઉન્ડ બપોરે 3:00 થી સાંજે 6:00 વાગ્યા સુધીનો છે.

ગીરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબર-નવેમ્બર અને પછી ફેબ્રુઆરી અને માર્ચ માનવામાં આવે છે. આ સમયે તમે એશિયાઈ સિંહો, અને અન્ય જંગલી પ્રાણીઓને ફરતા જોઈ શકો છો.

ચોમાસા દરમિયાન જૂનથી સપ્ટેમ્બર સુધી આ પાર્ક બંધ રહે છે. જો ગીરમાં રહેવાની વાત આવે તો તમે ગીરની આસપાસ અનેક હોટલ અને રિસોર્ટ આવેલા છે. જ્યાં તમે પરિવાર સાથે રહી શકો છો.

 Travel Destination | Asiatic Lion Gujarat | Gir National Park | Travel Tips