યાત્રી કૃપયા ધ્યાન આપો: ટ્રેનની ઓનલાઈન ટિકિટ બુક કરવા માટેના નિયમોમાં આવ્યો મોટો બદલાવ

જો તમે પણ ટ્રેનથી મુસાફરી કરો છો તો આ સમાચાર ખાસ તમારા કામના છે. ટ્રેનથી મુસાફરી કરતાં સમયે આજકાલ મોટાભાગના લોકો ઓનલાઈન ટિકિટ બુક કરાવે છે

New Update
યાત્રી કૃપયા ધ્યાન આપો: ટ્રેનની ઓનલાઈન ટિકિટ બુક કરવા માટેના નિયમોમાં આવ્યો મોટો બદલાવ

જો તમે પણ ટ્રેનથી મુસાફરી કરો છો તો આ સમાચાર ખાસ તમારા કામના છે. ટ્રેનથી મુસાફરી કરતાં સમયે આજકાલ મોટાભાગના લોકો ઓનલાઈન ટિકિટ બુક કરાવે છે અને આવા સમયે તમને બદલાયેલ નિયમો વિશે જાણ હોવી જરૂરી છે. જણાવી દઈએ કે IRCTC એ એપ અને વેબસાઈટ દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. એ બદલાયેલ નિયમ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આઈઆરસીટીસી (IRCTC) ના નવા નિયમ અનુસાર હવે યુઝર્સે ઓનલાઈન ટિકિટ બુક કરતા પહેલા મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી વેરિફિકેશન કરવું જરૂરી બન્યું છે.

આ નિયમ અનુસાર કોઈ પણ લોકો ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબરના વેરિફિકેશન વિના ઓનલાઈન ટિકિટ બુક કરવી શકશે નહીં. એક સર્વે અનુસાર એવા લાખો IRCTC એકાઉન્ટ્સ છે જેમને કોરોના પછી ઓનલાઈન ટિકિટ બુક નથી કરાવી અને જો તમે પણ લાંબા સમયથી ઓનલાઈન ટિકિટ બુક નથી કરાવી, તો આ નિયમ તમને લાગુ પદએ છે. હવે ઓનલાઈન ટિકિટ બુક કરવા માટે તમારે પહેલા વેરિફિકેશન કરાવવું જરૂરી બન્યું છે. ચાલો જોઈએ શું છે તેની પ્રોસેસ.IRCTC માંથી ઓનલાઈન બુકિંગ કરાવવા માટે તમે તેની એપ અથવા વેબસાઇટ પર જાઓ અને વેરિફિકેશન વિન્ડો પર ક્લિક કરીને ત્યાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી આપવાના રહેશે. એ પછી વેરીફાઈ બટન પર ક્લિક કરવાનું રહશે એ પછી.તમારા મોબાઇલ પર OTP આવશે જે ઓટીપી ભરીને તમારો મોબાઈ નબર વેરીફાઈ થશે. એ પછી ઈ-મેઈલ આઈડી પર મળેલો કોડ એન્ટર કરવાનો રહેશે અને એ પછી તમારું મેઈલ આઈડી વેરિફાઈ થઈ જશે. થોડા દિવસો પહેલા જ રેલવેએ IRCTC થોડા ફેરફાર કર્યા હતા જેમાં એકાઉન્ટના એક યુઝર આઈડી પર એક મહિનામાં બુક કરવામાં આવતી ટિકિટની મહત્તમ સંખ્યા 12 થી વધારીને 24 કરી હતી. એટલે કે આધાર લિંક્ડ યુઝર આઈડી દર મહિને 24 ટિકિટ બુક કરી શકે છે. પણ જો તમારું એકાઉન્ટ આધાર સાથે લિંક નથી તો તમે 12 ટિકિટ બુક કરી શકો છો.

Read the Next Article

આ સુંદર હિલ સ્ટેશન ગોવાની નજીક છે, જ્યાં તમને જોવા મળશે સ્વર્ગીય દૃશ્યો

ગોવા તેના દરિયાકિનારા માટે ખૂબ જ લોકપ્રિય છે. લોકો અહીં ફરવાની યોજના બનાવે છે. પરંતુ અહીંથી થોડા કિમીના અંતરે ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. જાણો ગોવાની નજીક કયા હિલ સ્ટેશન છે

New Update
hill station

ગોવા તેના દરિયાકિનારા માટે ખૂબ જ લોકપ્રિય છે. લોકો અહીં ફરવાની યોજના બનાવે છે. પરંતુ અહીંથી થોડા કિમીના અંતરે ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. જાણો ગોવાની નજીક કયા હિલ સ્ટેશન છે

આંબોલી ઘાટ મહારાષ્ટ્રનું એક સુંદર હિલ સ્ટેશન છે. તે ચારે બાજુ ટેકરીઓ, ધોધ અને હરિયાળીથી ઘેરાયેલું છે. તમે અહીં મુલાકાત માટે પણ જઈ શકો છો. અહીં તમને ભીડથી દૂર, પ્રકૃતિ વચ્ચે શાંતિથી સમય પસાર કરવાનો મોકો મળશે. મહાદેવગઢ કિલ્લો, શિરગાંવકર પોઇન્ટ, સનસેટ પોઇન્ટ અને અંબોલી વોટરફોલ અહીં ખૂબ જ લોકપ્રિય છે.

તેલંગાણાના વિકારાબાદ જિલ્લામાં સ્થિત અનંતગિરિ ટેકરીઓ ગોવાથી લગભગ 581 કિમી દૂર છે. તમે અનંતપદ્મનાભ સ્વામી મંદિરની મુલાકાત લેવા માટે અહીં જઈ શકો છો. આ ઉપરાંત, કોટપલ્લી વોટરફોલ, નાગસમુદ્રમ તળાવ, અનંતગિરિ ફોરેસ્ટ, બોરા ગુફાઓ, પદ્મપુરમ ગાર્ડન, મુસી નદી, ડોલ્ફિન નોઝ અને કાટીકી વોટરફોલ મુલાકાત લેવા માટે પ્રખ્યાત છે. અહીં ઘણા ટ્રેકિંગ ટ્રેલ્સ છે.

દાંડેલી કર્ણાટકનું એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. જે વન્યજીવન અભયારણ્ય અને લીલાછમ વાતાવરણ માટે પ્રખ્યાત છે. અહીં તમે દાંડેલી વન્યજીવન અભયારણ્યની મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત, સિન્થેરી રોક, શિરોલી પીક, સાથોડી ધોધ, કવલા ગુફાઓ, સુપા ડેમ અને જંગલ સફારી અહીં ખૂબ પ્રખ્યાત છે. કાલી નદીમાં રિવર રાફ્ટિંગ કરી શકાય છે.

સાવંતવાડી મહારાષ્ટ્રમાં પણ છે. જે ગોવાથી લગભગ 100 કિમી દૂર છે. અહીં તમે મોતી તાલાબ, સાવંતવાડી મહેલ અંબોલી ઘાટ અને ધોધ જેવા સુંદર સ્થળોનું અન્વેષણ કરી શકો છો. આ ઉપરાંત, આ સ્થળ હસ્તકલા અને સ્થાનિક કલાના શોખીન લોકો માટે યોગ્ય રહેશે.

કારવાર હિલ્સને ઉત્તર કન્નડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે કર્ણાટકનું એક સુંદર દરિયાકાંઠાનું શહેર છે. જે તેના લીલાછમ ટેકરીઓ, કિલ્લાઓ અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે જાણીતું છે. તમે અહીં રવિન્દ્રનાથ ટાગોર બીચ, કુરુમગઢ ટાપુ અને દેવબાગ બીચ જેવા શાંત દરિયાકિનારાની મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત, સદાશિવગઢ કિલ્લો અહીં પ્રખ્યાત છે. કારવારની આસપાસ પશ્ચિમ ઘાટની ટેકરીઓ છે.

Travel Destination | Goa Beach | hill station