New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/19114247/bbb.jpg)
ઉત્તર પ્રદેશના કન્નોજમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઈવે પર રવિવારે સવારે એક અનિયંત્રિત બસે બીજા વાહનોને ટક્કર મારી હતી. બસની આ ટક્કરમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે.
ઉત્તર પ્રદેશના કન્નોજમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઈવે પર રવિવારે સવારે એક અનિયંત્રિત બસે બીજા વાહનોને ટક્કર મારી હતી. બસની આ ટક્કરમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે.આ અકસ્માતમાં અન્ય 18 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ બસ બિહારના દરભંગાથી દિલ્હી જઇ રહી હતી.
આ અકસ્માત અંગે સીએમ યોગીએ શોક વ્યક્ત કર્યો છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં તેમણે ઘાયલોની યોગ્ય સારવાર માટેની સૂચના આપી છે.