વડોદરા : હવે, 31stની રાત્રે યુવકોની સાથે યુવતીઓનું પણ થશે બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ

New Update
વડોદરા : હવે, 31stની રાત્રે યુવકોની સાથે યુવતીઓનું પણ થશે બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ

વર્ષ 2019ને વિદાય આપીને નવા વર્ષ 2020ને આવકારવા

માટે વડોદરાવાસીઓ થનગની રહ્યા છે, ત્યારે કાયદો અને વ્યવસ્થા

જણવાઇ રહે તે માટે પોલીસ દ્વારા શહેર તેમજ જિલ્લામાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં

આવ્યો છે. શહેરમાં ઠેર ઠેર ડાન્સ અને ડિનર પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરા શહેરના મુખ્ય માર્ગો પર મોડી રાત સુધી લોકોની ભીડ રહેતી હોવાથી પોલીસ

કમિશનર કેશરીસિંહ ભાઠીના માર્ગદર્શન તેમજ સૂચના હેઠળ આ વખતે યુવકોની સાથે સાથે

મહિલાઓનું પણ બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવા વર્ષને

આવકારવા માટે યુવા પેઢી દારૂ અને ડ્રગ્સ જેવા માદક દ્રવ્યોનું સેવન કરતા હોય છે.

શહેરમાં મધરાત સુધી વિવિધ 10 જેટલા પોલીસ પોઇન્ટ પર 110 બ્રેથ એનેલાઇઝરથી લોકોની

ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત 11 ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવશે.

હેવી ટ્રાફિક ધરાવતા શહેરના 70 પોઇન્ટ પર ટ્રાફિક પોલીસના 273 પોલીસ કર્મચારીઓને

તહેનાત કરાશે. ઉપરાંત મેદાનો અને આવવારું સ્થળોએ મલ્ટીપર્ફઝ લાઈટ્સનો ઉપયોગ

કરવામાં આવશે. જો કોઈ યુવતી કે મહિલા ભૂલી પડી હશે, તો

પોલીસ તેને ઘર સુધી મૂકી આવશે. એટલું જ નહીં SOGની ટીમ

એન્ટી ડ્રગ કીટથી તપાસ કરશે. નવા વર્ષને આવકારવા માટે કરવામાં આવતી ઉજવણી

શાંતિપૂર્વક માહોલમાં સંપન્ન થાય તે માટે વડોદરા પોલીસ સજ્જ છે.

Read the Next Article

ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગઝલ સંસ્કાર કાર્યશાળા યોજાઈ,સાહિત્ય રસિકો, કવિઓ અને ગઝલકારો રહ્યા ઉપસ્થિત

બુધ કવિસભા ભરૂચ, મયુરી ફાઉન્ડેશન વડોદરા અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે "ગઝલ સંસ્કાર" કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું..

New Update
  • ગઝલ સંસ્કાર કાર્યશાળાનું કરાયું આયોજન

  • જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરાયું આયોજન

  • સાહિત્ય રસિકોકવિઓ અને ગઝલકારોએ લીધો ભાગ

  • ગઝલના ઇતિહાસ સહિતની રસપ્રદ માહિતની કરાઈ રજૂઆત

  • ગઝલના રેખાચિત્રોનું આલેખન પદ્ધતિનું અપાયું માર્ગદર્શન

  • અરબીફારસી છંદોના ગુજરાતી નામકરણની કરાઈ છણાવટ 

ભરૂચ ભોલાવ ખાતેની જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના સુંદર પરિસર ખાતે તારીખ 27 જુલાઈ રવિવારના રોજ બુધ કવિસભા ભરૂચમયુરી ફાઉન્ડેશન વડોદરા અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે "ગઝલ સંસ્કાર" કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના મુખ્ય વક્તા તરીકે સંસ્કારી નગરી વડોદરાના સુપ્રસિધ્ધ ગઝલકાર કવિ મકરંદ મુસળે હાજર રહ્યા હતા. સદર કાર્યશાળામાં ગઝલની ઉત્પતિગઝલનો ઈતિહાસતેમજ ગઝલ વિશેના એકમ ઘટકો ગણછંદલય વિગેરેની વિસ્તૃત માહિતી મલ્ટી મિડિયા પ્રોજેક્ટરના ઉપયોગ સાથે મોટા સ્ક્રીન પર પૂરી પાડવામાં આવી હતી.

તદુપરાંતસાહિત્ય જગતમાં પ્રથમવાર ગઝલના નવીનતમ આયામો જેવા કેગઝલના અરબીફારસી છંદોનું ગુજરાતી નામકરણ તેમજ ગઝલના લગાત્મક સ્વરૂપોના સંદર્ભ રેખાચિત્રો (ગ્રાફ) નું આલેખન પદ્ધતિ પણ શીખવવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં જતીન પરમારે'કાર્યશાળાના ઉદેશ્યમુખ્ય વક્તા કવિ મકરંદ મુસળે નો પરિચય આપી સફળ સંચાલન કર્યું હતું. જ્યારે પ્રમોદ પંડ્યાએ બુધ કવિ સભાનો છેલ્લા ત્રણ વર્ષનો સાતત્યસભર ઇતિહાસ અને સાહિત્ય ક્ષેત્રે કરેલ વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ આપી બુધ કવિ સભાને એક આગવી ઓળખ આપી હતી. બુધ કવિ સભાના કવિ કમલેશ ચૌધરીએ મકરંદ મુસળેનું તેમજ કવયિત્રી હેતલ ચૌધરીએ મયુરી ફાઉન્ડેશનના ધ્રુવ જોશીનું પુષ્પગુચ્છથી અભિવાદન કરી સન્માનિત કર્યા હતા.જ્યારે શ્રીમતી હેમાક્ષી શાહ અને શ્રીમતી હેતલબેન ચૌધરીએ કાર્યશાળા માટે આધારરૂપ વહીવટી જવાબદારી નિભાવી હતી. કાર્યક્રમના અંતમાં કવિ પ્રધુમન ખાચરે આગવી છટામાં આભારવિધિ કરી પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

બુધ કવિ સભાના ફાઉન્ડર મેમ્બર બ્રીજ પાઠકે ઉમેર્યું હતું કે દરેક બુધ કવિ સભામાં અમે સુપ્રસિદ્ધ કવિઓને અમારી સાથે ઓનલાઈન માધ્યમ દ્વારા સાંકળીએ છીએ ઉપરાંત મયુરી ફાઉન્ડેશન વડોદરા દ્વારા આ "ગઝલ સંસ્કાર" કાર્યશાળા માટેની સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે સંપૂર્ણ આર્થિક સહયોગ સાંપડ્યો હતો.જે માટે સંસ્થા ઋણી છે. જ્યારે પ્રતિસાદરૂપે ધ્રુવ જોશી દ્વારા બુધ કવિ સભાના સંયુક્ત ગઝલ સંગ્રહના પુસ્તક તૈયાર કરવા આહવાન કરી આર્થિક સહાયની કરેલ આગોતરી જાહેરાતની વાતને પ્રોત્સાહક બળ તરીકે નોંધવામાં આવી હતી.

આ નવીનતમ "ગઝલ સંસ્કાર" કાર્યશાળામાં સમગ્ર ગુજરાતમાંથી ભરૂચઅંકલેશ્વર,વડોદરાસુરતવાપીતેમજ અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં સાહિત્ય રસિકોકવિઓ અને ગઝલકારોએ ઉમળકાભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવા માટે બુધ કવિ સભાએ  આભારની લાગણી વ્યક્ત કરી હતી.