જગન્નાથપુરીનો કલાત્મક રથ વડોદરામાં પણ, ઇસ્કોન મંદિર દ્વારા 43મી રથયાત્રાનું આયોજન...

સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ઇસ્કોન મંદિર દ્વારા આગામી તા. 7મી જુલાઇ અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રાનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે

New Update

તા. 7મી જુલાઇ અષાઢી બીજના રોજ નીકળશે રથયાત્રા

ઇસ્કોન મંદિર દ્વારા જગન્નાથજીની 43મી રથયાત્રા યોજાશે

ભગવાન જગન્નાથની રથયાત્રાનું ધામધૂમપૂર્વક આયોજન

કલાનગરીના કલાકારો દ્વારા રથના શણગારને અંતિમ ઓપ

અષાઢી બીજે હરે ક્રિષ્ણાહરે રામના નાદથી વાતાવરણ ગુંજશે

સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ઇસ્કોન મંદિર દ્વારા આગામી તા. 7મી જુલાઇ અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રાનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું છેત્યારે રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભગવાનના રથને રંગરોગાન તેમજ શણગાર સહિતની કામગીરીનો દોર જારી છે.

આગામી તા. 7મી જુલાઇ અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ઠેર ઠેર આયોજન થવા જઈ રહ્યું છેત્યારે સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારના ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભગવાનના રથને રંગરોગાનએર બેક સિસ્ટમજંપર-પાટાગીસિંગફેબ્રિકેશનશણગાર સહિતની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. કલાનગરીના કલાકારો તથા ભાવિક ભક્તો રથને વિવિધ ભાતિગળ રંગોથી સજાવી રહ્યા છે.

ભગવાનના રથ માટે સંખેડાથી બાવળના લાકડા મંગાવવામાં આવ્યા હતા. કૃષ્ણ ભક્તે જણાવ્યું કેહું છેલ્લા ઘણા વર્ષથી ઇસ્કોન મંદિરમાં સેવા આપું છું. અને આ વર્ષે અમે બધા ભક્તો દ્વારા આ રથને રંગરોગાન કરવામાં આવી રહ્યું છે. મારા માટે આ એક ખૂબ જ સૌભાગ્યની વાત છે કેમને ભગવાન જગન્નાથજીના રથને શણગારવાની તક મળી છે. આ રથની ડિઝાઇન જગન્નાથપુરીના રથ જેવી જ રાખવામાં આવી છેતથા આ સેવામાં ઘણા ભાવિક ભક્તો જોડાયા છે. જેને લઈને આ કામ ઝડપથી પૂર્ણ થયું છે. રથયાત્રાના રૂટ પર ભક્તોને 35 ટન શિરાનો પ્રસાદ વિતરણ કરાશેતથા સંધ્યા સમયે ઇસ્કોન મંદિરે ભંડારો ભરાશે. આ સાથે જ અષાઢી બીજે રથયાત્રા દરમિયાનહરે ક્રિષ્ણાહરે રામનો નાદ ગુંજશે અને ભક્તો ભક્તિ સંગીતના તાલે ભગવાનની નગરચર્યામાં જોડાશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.