જગન્નાથપુરીનો કલાત્મક રથ વડોદરામાં પણ, ઇસ્કોન મંદિર દ્વારા 43મી રથયાત્રાનું આયોજન...

સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ઇસ્કોન મંદિર દ્વારા આગામી તા. 7મી જુલાઇ અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રાનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે

New Update

તા. 7મી જુલાઇ અષાઢી બીજના રોજ નીકળશે રથયાત્રા

ઇસ્કોન મંદિર દ્વારા જગન્નાથજીની 43મી રથયાત્રા યોજાશે

ભગવાન જગન્નાથની રથયાત્રાનું ધામધૂમપૂર્વક આયોજન

કલાનગરીના કલાકારો દ્વારા રથના શણગારને અંતિમ ઓપ

અષાઢી બીજે હરે ક્રિષ્ણાહરે રામના નાદથી વાતાવરણ ગુંજશે

સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ઇસ્કોન મંદિર દ્વારા આગામી તા. 7મી જુલાઇ અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રાનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું છેત્યારે રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભગવાનના રથને રંગરોગાન તેમજ શણગાર સહિતની કામગીરીનો દોર જારી છે.

આગામી તા. 7મી જુલાઇ અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ઠેર ઠેર આયોજન થવા જઈ રહ્યું છેત્યારે સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારના ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભગવાનના રથને રંગરોગાનએર બેક સિસ્ટમજંપર-પાટાગીસિંગફેબ્રિકેશનશણગાર સહિતની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. કલાનગરીના કલાકારો તથા ભાવિક ભક્તો રથને વિવિધ ભાતિગળ રંગોથી સજાવી રહ્યા છે.

ભગવાનના રથ માટે સંખેડાથી બાવળના લાકડા મંગાવવામાં આવ્યા હતા. કૃષ્ણ ભક્તે જણાવ્યું કેહું છેલ્લા ઘણા વર્ષથી ઇસ્કોન મંદિરમાં સેવા આપું છું. અને આ વર્ષે અમે બધા ભક્તો દ્વારા આ રથને રંગરોગાન કરવામાં આવી રહ્યું છે. મારા માટે આ એક ખૂબ જ સૌભાગ્યની વાત છે કેમને ભગવાન જગન્નાથજીના રથને શણગારવાની તક મળી છે. આ રથની ડિઝાઇન જગન્નાથપુરીના રથ જેવી જ રાખવામાં આવી છેતથા આ સેવામાં ઘણા ભાવિક ભક્તો જોડાયા છે. જેને લઈને આ કામ ઝડપથી પૂર્ણ થયું છે. રથયાત્રાના રૂટ પર ભક્તોને 35 ટન શિરાનો પ્રસાદ વિતરણ કરાશેતથા સંધ્યા સમયે ઇસ્કોન મંદિરે ભંડારો ભરાશે. આ સાથે જ અષાઢી બીજે રથયાત્રા દરમિયાન હરે ક્રિષ્ણાહરે રામનો નાદ ગુંજશે અને ભક્તો ભક્તિ સંગીતના તાલે ભગવાનની નગરચર્યામાં જોડાશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.