વડોદરા: ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડની ચીર વિદાય

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું લાંબી બીમારી બાદ દુઃખદ અવસાન થયું હતું,આજરોજ તેમના નિવાસ્થાનેથી અંતિમ યાત્રા યોજાઈ હતી

New Update

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું લાંબી બીમારી બાદ દુઃખદ અવસાન થયું હતું,આજરોજ તેમના નિવાસ્થાનેથી અંતિમ યાત્રા યોજાઈ હતી,જેમાં પૂર્વ ક્રિકેટર,બીસીઆઈના પ્રમુખ સહિતના લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડ બ્લડ કેન્સરની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા અને વડોદરામાં તેમની સારવાર ચાલી રહી હતી. 71 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અને તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. તેમના નિવાસસ્થાનેથી શબવાહિનીમાં તેમની અંતિમયાત્રા નીકળી હતી અને કીર્તિ મંદિર ખાતે પહોંચી હતી. જ્યાં શાસ્ત્રોક્ત વિધિ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

આ દુઃખદ ઘડીના પ્રસંગે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર નયન મોંગિયાબીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્ની અને કિરણ મોરે હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા.અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

 

Latest Stories