ચૈતર વસાવાનો મનસુખ વસાવાને પડકાર કહ્યું મનસુખભાઈ અસલી આદિવાસી હશે તો રેલીમાં જોડાશે નહિતર..!

ચૈતર વસાવાએ વડોદરા ખાતે પત્રકાર પરિષદ યોજી હતી,અને તારીખ 21મી એ ભારત બંધના સમર્થનમાં જોડાવા માટે નિર્ણય લીધો હતો,જ્યારે  કેવડિયા ખાતે બે આદિવાસી યુવાનોના મોતની ઘટના મામલે સીબીઆઈ તપાસની માંગ પણ કરી

New Update

વડોદરામાંMLA ચૈતર વસાવાનીપ્રેસ કોન્ફરન્સ

21 ઓગસ્ટેSC ST સમુદાયની યોજાશે વિશાળ રેલી

ચૈતર વસાવાનો મનસુખ વસાવાને વધુ એક પડકાર

મનસુખ વસાવા સાચા આદિવાસી હોય તો રેલીમાં જોડાય

બે આદિવાસી યુવાનના મોતમાં CBI તપાસની કરી માંગ


નર્મદા જિલ્લાના ડેડીયાપાડનાધારાસભ્ય ચૈતર વસાવાએ વડોદરા ખાતે પત્રકાર પરિષદ યોજી હતી,અને તારીખ21મીએ ભારત બંધના સમર્થનમાં જોડાવા માટે નિર્ણય લીધો હતો,જ્યારેકેવડિયા ખાતે બે આદિવાસી યુવાનોના મોતનીઘટના મામલે સીબીઆઈ તપાસની માંગ પણ કરી હતી.અને સાંસદ મનસુખ વસાવા પર પણ શાબ્દિકપ્રહારો કર્યાહતા.

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા સર્કિટહાઉસ ખાતે આજે સમગ્ર ગુજરાતના આદિવાસી આગેવાનોની એક બેઠક યોજાઇ હતી. જેમાંSC-STને લઇને સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં21 ઓગસ્ટના રોજ આપવામાં આવેલાભારત બંધનાએલાનમાં જોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બેઠકમાં ડેડીયાપાડાનાAAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને વાંસદાના કોંગ્રેસનાધારાસભ્ય અનંત પટેલ સહિત સમગ્ર ગુજરાતના આદિવાસી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંતનર્મદા જિલ્લાના કેવડિયા ખાતેનામ્યુઝિયમમાં બે આદિવાસી યુવકોને મારમારીને મોતને ઘાટ ઉતારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.

ત્યારે આ મુદ્દે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સીબીઆઈ તપાસની માંગ પણ કરી હતી. અને યોજાનાર રેલીમાં જોડાવા માટે સાંસદ મનસુખ વસાવાને પડકાર ફેંક્યો હતો,તેમજ મનસુખ વસાવા પર શાબ્દિક પ્રહાર કરીને કટાક્ષ પણ કર્યા હતા.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.