વડોદરામાંMLA ચૈતર વસાવાનીપ્રેસ કોન્ફરન્સ
21 ઓગસ્ટેSC ST સમુદાયની યોજાશે વિશાળ રેલી
ચૈતર વસાવાનો મનસુખ વસાવાને વધુ એક પડકાર
મનસુખ વસાવા સાચા આદિવાસી હોય તો રેલીમાં જોડાય
બે આદિવાસી યુવાનના મોતમાં CBI તપાસની કરી માંગ
નર્મદા જિલ્લાના ડેડીયાપાડનાધારાસભ્ય ચૈતર વસાવાએ વડોદરા ખાતે પત્રકાર પરિષદ યોજી હતી,અને તારીખ21મીએ ભારત બંધના સમર્થનમાં જોડાવા માટે નિર્ણય લીધો હતો,જ્યારેકેવડિયા ખાતે બે આદિવાસી યુવાનોના મોતનીઘટના મામલે સીબીઆઈ તપાસની માંગ પણ કરી હતી.અને સાંસદ મનસુખ વસાવા પર પણ શાબ્દિકપ્રહારો કર્યાહતા.
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા સર્કિટહાઉસ ખાતે આજે સમગ્ર ગુજરાતના આદિવાસી આગેવાનોની એક બેઠક યોજાઇ હતી. જેમાંSC-STને લઇને સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં21 ઓગસ્ટના રોજ આપવામાં આવેલા‘ભારત બંધ’નાએલાનમાં જોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બેઠકમાં ડેડીયાપાડાનાAAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને વાંસદાના કોંગ્રેસનાધારાસભ્ય અનંત પટેલ સહિત સમગ્ર ગુજરાતના આદિવાસી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંતનર્મદા જિલ્લાના કેવડિયા ખાતેનામ્યુઝિયમમાં બે આદિવાસી યુવકોને મારમારીને મોતને ઘાટ ઉતારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.
ત્યારે આ મુદ્દે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સીબીઆઈ તપાસની માંગ પણ કરી હતી. અને યોજાનાર રેલીમાં જોડાવા માટે સાંસદ મનસુખ વસાવાને પડકાર ફેંક્યો હતો,તેમજ મનસુખ વસાવા પર શાબ્દિક પ્રહાર કરીને કટાક્ષ પણ કર્યા હતા.