ચૈતર વસાવાનો મનસુખ વસાવાને પડકાર કહ્યું મનસુખભાઈ અસલી આદિવાસી હશે તો રેલીમાં જોડાશે નહિતર..!

ચૈતર વસાવાએ વડોદરા ખાતે પત્રકાર પરિષદ યોજી હતી,અને તારીખ 21મી એ ભારત બંધના સમર્થનમાં જોડાવા માટે નિર્ણય લીધો હતો,જ્યારે  કેવડિયા ખાતે બે આદિવાસી યુવાનોના મોતની ઘટના મામલે સીબીઆઈ તપાસની માંગ પણ કરી

New Update

વડોદરામાં MLA ચૈતર વસાવાની  પ્રેસ કોન્ફરન્સ

21 ઓગસ્ટે SC ST સમુદાયની યોજાશે વિશાળ રેલી 

ચૈતર વસાવાનો મનસુખ વસાવાને વધુ એક પડકાર

મનસુખ વસાવા સાચા આદિવાસી હોય તો રેલીમાં જોડાય

બે આદિવાસી યુવાનના મોતમાં CBI તપાસની કરી માંગ   


નર્મદા જિલ્લાના ડેડીયાપાડના ધારાસભ્ય ચૈતર વસાવાએ વડોદરા ખાતે પત્રકાર પરિષદ યોજી હતી,અને તારીખ 21મી એ ભારત બંધના સમર્થનમાં જોડાવા માટે નિર્ણય લીધો હતો,જ્યારે  કેવડિયા ખાતે બે આદિવાસી યુવાનોના મોતની ઘટના મામલે સીબીઆઈ તપાસની માંગ પણ કરી હતી.અને સાંસદ મનસુખ વસાવા પર પણ શાબ્દિક પ્રહારો કર્યા હતા.   

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા સર્કિટ હાઉસ ખાતે આજે સમગ્ર ગુજરાતના આદિવાસી આગેવાનોની એક બેઠક યોજાઇ હતી. જેમાં SC-STને લઇને સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં 21 ઓગસ્ટના રોજ આપવામાં આવેલા ભારત બંધના એલાનમાં જોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બેઠકમાં ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સહિત સમગ્ર ગુજરાતના આદિવાસી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નર્મદા જિલ્લાના કેવડિયા ખાતેના મ્યુઝિયમમાં બે આદિવાસી યુવકોને મારમારીને મોતને ઘાટ ઉતારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.

ત્યારે આ મુદ્દે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સીબીઆઈ તપાસની માંગ પણ કરી હતી. અને યોજાનાર રેલીમાં જોડાવા માટે સાંસદ મનસુખ વસાવાને પડકાર ફેંક્યો હતો,તેમજ મનસુખ વસાવા પર શાબ્દિક પ્રહાર કરીને કટાક્ષ પણ કર્યા હતા.     

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.