આકાશી પેચ માટે પતંગ રસિયાઓ તૈયાર : વડોદરામાં પતંગની દોરીને હાથથી સૂતવાની કળાએ લોકોમાં આકર્ષણ જમાવ્યું…

આકાશમાં પોતાનો પતંગ હંમેશા ચગતો જ રહે તે માટે પતંગસરીયાઓ હાલથી જ સજ્જ થઇ ગયા છે. વડોદરામાં હાલમાં હાથથી માંજો સૂતવાની કળા લોકોમાં આકર્ષણ જમાવી રહી છે.

New Update
  • ઉત્તરાયણ એટલે આકાશી પેચ લડાવી યુદ્ધ જીતવાનો પર્વ

  • ચરખાના જમાનામાં હાથથી દોરી સૂતવાની પદ્ધતિ મૃતપાય

  • શહેરમાં વર્ષો પુરાણી પદ્ધતિથી માંજો પીવડાવવામાં આવ્યો

  • હાથથી દોરી સૂતવાની કળાએ શહેરીજનોમાં આકર્ષણ જમાવ્યું

  • લોકો ધારદાર માંજો ખરીદીને આકાશી  પેચ માટે તૈયાર થયા

હવેઉત્તરાયણ પર્વ વેળા આજના ચરખાના જમાનામાં હાથથી દોરી સૂતવાની પદ્ધતિ લગભગ મૃતપાય થઇ ગઈ છેત્યારે વડોદરા શહેરમાં વર્ષો પુરાણી પદ્ધતિથી માંજો પીવડાવવામાં આવી રહ્યો છેજ્યાં હાથથી દોરી સૂતવાની કળાએ લોકોમાં આકર્ષણ જમાવી રહી છે.

ઉત્તરાયણ પર્વ એટલે પતંગની સાથે સાથે ધારદાર માંજાથી આકાશી પેચ લડાવી યુદ્ધ જીતવાનો પર્વ. ઉત્તરાયણ પર્વ નજીકમાં છેત્યારે લોકો પતંગની સાથે સાથે ધારદાર માંજો પણ ખરીદીને આકાશી પેચ માટે તૈયાર થઇ રહ્યા છે. આકાશમાં પોતાનો પતંગ હંમેશા ચગતો જ રહે તે માટે પતંગસરીયાઓ હાલથી જ સજ્જ થઇ ગયા છે. વડોદરામાં હાલમાં હાથથી માંજો સૂતવાની કળા લોકોમાં આકર્ષણ જમાવી રહી છે.

ચામડાના ઉપયોગથી દોરીને લાકડાના 2 છેડે બાંધીને હાથથી સૂતવામાં આવી રહી છે. હાલમાં મોટરના ચરખાથી દોરી સૂતવામાં આવે છેપણ આ પદ્ધતિ વર્ષો જૂની છેત્યારે વડોદરાના પતંગ રસિયાઓ આ માંજો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જોકેઆ માંજો સૂતતા કલાકાર પણ પોતાના કારીગરો સાથે હાલ વ્યસ્ત જોવા મળી રહ્યા છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.