વડોદરા: પરફોર્મિંગ આર્ટ્સના 100થી વધુ વિદ્યાર્થીઓએ તબલાના તાલે ઝાકીર હુસેનને પાઠવી શ્રદ્ધાંજલિ

એમએસ યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટસના વિદ્યાર્થીઓ દ્વારા તેઓને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી પરફોર્મિંગ આર્ટસના વિદ્યાર્થીઓ દ્વારા તબલાના તાલે તેઓને તાલાંજલી આપવામાં આવી

New Update
  • જગપ્રસિદ્ધ તબલા વાદક ઝાકીર હુસૈનનું નિધન

  • ફિલ્મ જગત સહિત તેમના ચાહકોમાં બન્યા શોકમગ્ન

  • પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓએ પાઠવી શ્રદ્ધાંજલિ  

  • 100થી વધુ વિદ્યાર્થીઓએ આપી તાલાંજલિ  

  • ઉસ્તાદ ઝાકીર હુસેન અનેક વિદ્યાર્થીઓ માટે હતા પ્રેરણા રૂપ

વડોદરા એમએસ યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટસના વિદ્યાર્થીઓ દ્વારા જગપ્રસિદ્ધ તબલા વાદક ઝાકીર હુસૈનને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.પરફોર્મિંગ આર્ટસના વિદ્યાર્થીઓ દ્વારા તબલાના તાલે તેઓને તાલાંજલી આપવામાં આવી હતી.

તબલા વાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં અવસાન થયું છે,તેઓના નિધને ફિલ્મી દુનિયા સહિત તેમના ચાહકો શોકમગ્ન થયા છે,ત્યારે વડોદરા એમએસ યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટસના વિદ્યાર્થીઓ દ્વારા તેઓને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી પરફોર્મિંગ આર્ટસના વિદ્યાર્થીઓ દ્વારા તબલાના તાલે તેઓને તાલાંજલી આપવામાં આવી હતી. પરફોર્મિંગ આર્ટ્સના 100થી વધુ વિદ્યાર્થીઓએ તબલાના તાલે ઉસ્તાદ ઝાકીર હુસૈનને યાદ કર્યા હતા. ઉસ્તાદ ઝાકીર હુસેન અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણા રૂપ છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.