વડોદરા : સાંકરદા ગામ નજીક ટેન્કરમાંથી એમોનિયા ગેસ લીકેજ થતા લોકોમાં ભાગદોડ, ફાયર ફાઇટરો દોડ્યા...

એમોનિયા ભરેલ ટેન્કરને અકસ્માત નડ્યો હતો, ત્યારે ટેન્કરનું ઢાંકણ ખૂલી જતાં તેમાથી એમોનિયા ગેસનો જથ્થો હવામાં ફેલાવવાની શરૂઆત થઈ હતી. જેના કારણે આસપાસના લોકોમાં ભારે ભાગદોડ મચી

New Update
  • સાંકરદા ગામ નજીકથી પસાર થતાં હાઇવે માર્ગ પરની ઘટના

  • દીપક નાઈટ્રેટ કંપનીના એમોનિયા ભરેલ ટેન્કરનો અકસ્માત

  • ટેન્કરમાંથી ગેસ લીકેજ થતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી

  • પાલિકાના 7થી 8 જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા

  • કલાકોની જહેમત બાદ ગેસ લીકેજ પર કાબૂ મેળવવામાં સફળતા

વડોદરા હાઇવે પર સાંકરદા ગામ નજીકથી પસાર થતાં દીપક નાઈટ્રેટ કંપનીના એમોનિયા ભરેલ ટેન્કરમાંથી ગેસ લીકેજ થતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે પર સાકરદા ગામ નજીક દીપક નાઈટ્રેટ કંપનીના એમોનિયા ભરેલ ટેન્કરને અકસ્માત નડ્યો હતોત્યારે ટેન્કરનું ઢાંકણ ખૂલી જતાં તેમાથી એમોનિયા ગેસનો જથ્થો હવામાં ફેલાવવાની શરૂઆત થઈ હતી. જેના કારણે આસપાસના લોકોમાં ભારે ભાગદોડ મચી હતી.

બનાવની જાણ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારની ફાયર બ્રિગેડને થતા તેઓએ સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરી. પરંતુ વધુ ફાયર બ્રિગેડની જરૂરિયાત જણાતા તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતીત્યારે વડોદરા પાલિકાના 7થી 8 જેટલા ફાયર ટેન્ડરો સાથે દોડી આવેલા ફાયરકર્મીઓએ એમોનિયા ગેસ લીકેજને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા.

જવાનોએ પોતાના સ્વબચાવમાં મોઢા પર માસ્ક લગાવ્યા અને ઓક્સિજનના બોટલો સાથે રાખ્યા હતા. કલાકોની ભારે જહેમત બાદ એમોનિયા ગેસ લીકેજ પર કાબૂ મેળવવામાં તેઓને સફળતા મળી હતી.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.