વડોદરા : દરજીપુરા વિસ્તારમાં દારૂના કટિંગ પર દરોડા પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર પથ્થરમારો…

હુમલામાં SMCના પીએસઆઇ આર.જી.ખાંટે સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં પોલીસે 3 લોકોને ઝડપી પાડી રૂ. 22 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

New Update
  • દરજીપુરા વિસ્તારમાં ચાલતા દારૂના કટિંગ ઉપર દરોડા

  • સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા

  • SMCની ટીમ પર કેટલાક ઇસમોએ કર્યો હતો પથ્થરમારો

  • SMCના PSIએ સ્વબચાવમાં કર્યું હતું 2 રાઉન્ડ ફાયરિંગ

  • રૂ. 22 લાખના મુદ્દામાલ સાથે 3 લોકોની ધરપકડ કરાય

વડોદરા શહેરના દરજીપુરા વિસ્તારમાં ચાલતા દારૂના કટિંગ પર દરોડા પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં SMCના PSIએ સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તો બીજી તરફહરણી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસારગત તા. 27 ડિસેમ્બરની મોડીરાત્રે વડોદરા શહેરના દરજીપુરા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂના કટિંગ પર રેડ કરી હતી. આ દરમિયાન કેટલાક શખ્સોએ SMCની ટીમ પર પથ્થરમારો કર્યો હતોત્યારે હુમલામાં SMCના કેટલાક કર્મચારીઓને ઇજા થઈ હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે.

આ હુમલામાં SMCના પીએસઆઇ આર.જી.ખાંટે સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં પોલીસે 3 લોકોને ઝડપી પાડી રૂ. 22 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.