સુરત : નાનપુરામાં SMCની સાઈટ ઉપર ચાલતી કામગીરી દરમ્યાન 40 ફૂટ ઊંડા ટાંકામાં પટકાતાં શ્રમિકનું મોત

સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં મહાનગરપાલિકાની સાઈટ ઉપર 40 ફૂટ ઊંડા ટાંકામાં પડી જતા એક શ્રમિકનું મોત નીપજ્યું હતું.

New Update
સુરત : નાનપુરામાં SMCની સાઈટ ઉપર ચાલતી કામગીરી દરમ્યાન 40 ફૂટ ઊંડા ટાંકામાં પટકાતાં શ્રમિકનું મોત

સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં મહાનગરપાલિકાની સાઈટ ઉપર 40 ફૂટ ઊંડા ટાંકામાં પડી જતા એક શ્રમિકનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, સુરતના નાનપુરામાં તાપી શુદ્ધિકરણ પ્રોજેકટ હેઠળ મહાનગરપાલિકાની સાઈટ ઉપર કામગીરી ચાલી રહી હતી. જેમાં કંપની કોન્ટ્રાકટ હેઠળ ચાલતી કામગીરી દરમ્યાન 40 ફૂટ ઊંડા ટાંકામાં પ્લાસ્ટર કરતી વેળા એક શ્રમિક એકાએક પટકાયો હતો, ત્યારે ગંભીર ઇજાના પગલે શ્રમિકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવના પગલે કોન્ટ્રાકટર સહિત આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં કોન્ટ્રાકટરની ગંભીર બેદરકારીના કારણે શ્રમિકે જીવ ગુમાવ્યો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.