વડોદરા : 31st ડિસેમ્બર અને મકરસંક્રાતિની ઉજવણીને લઈને શહેરીજનો સાથે પોલીસ પણ સજ્જ...

વડોદરા પોલીસ દ્વારા શહેરના 11 પોઇન્ટ પર નાકાબંધી રહેશે, અને 55 સ્થળો પર રાતથી સવારે 5 વાગ્યા સુધી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે.

New Update
વડોદરા : 31st ડિસેમ્બર અને મકરસંક્રાતિની ઉજવણીને લઈને શહેરીજનો સાથે પોલીસ પણ સજ્જ...

શહેરમાં 31st ડિસેમ્બરને લઇ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

નવા વર્ષ અને મકરસંક્રાતિ માટે પોલીસની બેઠક મળી

55 સ્થળો પર રાતથી સવાર સુધી સતત પોલીસ ચેકિંગ

યુવાઓ નશાના રવાડે ન ચઢે તે માટે ખાસ પ્લાન ઘડાયો

વડોદરા પોલીસ બની છે સજ્જ : અનુપમસિંહ ગેહલોત

31st ડિસેમ્બર અને મકરસંક્રાતિની ઉજવણીને લઈને યુવા વર્ગમાં થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે નવા વર્ષ અને મકરસંક્રાતિની ઉજવણી દરમ્યાન ઘેલા બનેલા યુવાઓ નશાના રવાડે ન ચઢે તે માટે વડોદરા પોલીસ પણ સજ્જ બની છે. 31st ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી વડોદરા શહેર પોલીસે ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. શહેરના ફતેહગંજ અને સયાજીગંજ સહિતના 21 સ્થળો પર વિશેષ ઉજવણી થતી હોવાથી પોલીસ દ્વારા કડક નજર રાખવામાં આવનાર છે. વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પત્રકાર પરિષદ યોજી સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

જેમાં વડોદરા પોલીસ દ્વારા શહેરના 11 પોઇન્ટ પર નાકાબંધી રહેશે, અને 55 સ્થળો પર રાતથી સવારે 5 વાગ્યા સુધી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. જેમાં 6 DSP, 16 ACP, 50 PI અને 80 PSI સહિત શી ટીમની મહિલા કર્મીઓ મળી 2 હજાર પોલીસકર્મીઓ તૈનાત રહેશે. જે અસામાજિક તત્વો તેમજ સ્ટંટ કરનારા લોકો સહિત દારૂ-ડ્રગ્સની થતી હેરાફેરીની ગતિવિધિઓ પર નજર રાખશે. એટલું જ નહીં, પોલીસ દારૂ-ડ્રગ્સની ચકાસણી માટે બ્રેથ એનેલાઇઝર અને વિશેષ કિટ સાથે રાખશે. જો કોઇ નિયમ ભંગ કરશે તો કડક કાર્યવાહી કરાશે. પોલીસ બેરિકેડ, વીડિયોગ્રાફી અને ડ્રોન કેમેરાથી સજ્જ રહેશે.

તો, ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સતત ખડેપગે પેટ્રોલિંગ કરશે. આ ઉપરાંત મકરસંક્રાંતિને લઈને પણ વડોદરા પોલીસ કમિશનરે નિવેદન આપતા જણાવ્યુ હતું કે, ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી વડોદરા પોલીસ સજ્જ છે. જેમાં ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ તુક્કલના ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કરી ઠેર ઠેર ચેકીંગ હાથ ધરાશે. આ સાથે જ ચાર દરવાજા વિસ્તારમાં પતંગ પકડવા રોડ પર દોડનાર લોકો પર ખાસ નજર રખાશે. ઉપરાંત અગાસી પર ડીજે વગાડવા પર ખાસ પ્રતિબંધ નહીં પરંતુ લોકોએ જાતે જ સાવચેતી રાખવાની જરૂર છે તેવું પોલીસ કમિશનરે જણાવ્યુ હતું.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.