વડોદરા : MS યુનિવર્સિટીમાં અનામત મુદ્દે ફરી લાગ્યા બેનર, લખ્યું : ‘વાઇસ ચાન્સેલર ગુમ થયા છે’

વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન ઓછા આપવાનો મુદ્દો છે.

New Update
વડોદરા : MS યુનિવર્સિટીમાં અનામત મુદ્દે ફરી લાગ્યા બેનર, લખ્યું : ‘વાઇસ ચાન્સેલર ગુમ થયા છે’

વડોદરાની MS યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં ABVP દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે, 'વાઇસ ચાન્સેલર ગુમ થયા છે, ઉપરના ફોટોમાં દર્શાવેલ વ્યક્તિ ભૂલથી ક્યાંક દેખાય તો વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉકેલ માટે ABVPનો સંપર્ક કરવો' આવા બેનરથી ફરી વિવાદ ઉભો થયો છે. ઉલ્લેખનીય છે. કે, છેલ્લા કેટલાક દિવસથી MS યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને 70 ટકા અનામતનો મુદ્દો ગરમાયો છે. જેને લઈને આ પોસ્ટર લાગ્યા છે, ત્યારે ABVPના આગેવાન અક્ષય રબારીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયાથી એક વિષયને લઈને એમ.એસ. યુનિવર્સિટી ચર્ચામાં છે.

જેમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન ઓછા આપવાનો મુદ્દો છે. આટલો મોટો વિષય હોવા છતાં વાઇસ ચાન્સેલર ચૂપ છે. તેઓ ક્યારેય વિદ્યાર્થીઓ વચ્ચે આવતા નથી. આજે બેનર એટલા માટે લગાવ્યા છે કે, આ બેનર વાંચીને સાહેબનો અંતરઆત્મા જાગે અને આવીને પૂછે કે, વિદ્યાર્થીઓનો પ્રશ્ન શું છે? છેલ્લા 2 વર્ષથી તેઓ એસી ચેમ્બરમાં બેસી રહે છે. માત્ર યુનિવર્સિટીનું કામ કરે છે, વિદ્યાર્થીઓના હિત માટે કોઈ કામ કરવામાં આવતા ન હોવાનો પણ ABVP દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.