વડોદરા : સાકરદા નજીક અત્યંત જ્વલનશીલ ગેસ ભરેલ ટેન્કરે મારી પલટી, ગેસ હવામાં ભળી જતાં લોકોને હાલાકી..!

સાકરદા ગામ નજીક આવેલ કેડેસ કંપનીમાં કેમિકલ ખાલી કરવા આવેલ ટેન્કર પલટી મારી જતા મોટા પ્રમાણમાં ગેસ ગળતર થયું હતું.

New Update
વડોદરા : સાકરદા નજીક અત્યંત જ્વલનશીલ ગેસ ભરેલ ટેન્કરે મારી પલટી, ગેસ હવામાં ભળી જતાં લોકોને હાલાકી..!

વડોદરાના સાકરદા ગામ નજીક આવેલ કેડેસ કંપનીમાં કેમિકલ ખાલી કરવા આવેલ ટેન્કર પલટી મારી જતા મોટા પ્રમાણમાં ગેસ ગળતર થયું હતું. નાઈટ્રીટ એસિડ ગેસ હવામાં મિશ્ર થઈ જતાં આસપાસના ગ્રામજનોમાં ભયનું વાતાવરણ સર્જાયુ હતું.

વડોદરાના સાકરદા ગામ નજીકની કેડેશ કંપનીમાં ગત રાત્રિએ એક ટેન્કર કંપનીમાં કેમિકલ ખાલી કરવા માટે આવ્યું હતું. તે દરમિયાન કંપનીની બિલકુલ પાસે આવેલ એક ખેતરમાં અકસ્માતે આ ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કરની અંદર અત્યંત જ્વલનશીલ એવો નાઈટ્રિક એસિડ ભરેલો હતો. ટેન્કર પલટી ખાતાની સાથે જ ગેસ ગળતર થવાનું શરૂ થયું હતું. આ બનાવ બાદ વહેલી સવારે ખેતરના માલિક રજનીકાંત પટેલે સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરી હતી. ટેન્કરમાં રહેલો નાઈટ્રિક એસિડ ખાલી થઈ જતાં સાકરદા ગામની આસપાસના વિસ્તારમાં હવામાં આ ગેસ ભળ્યો હતો. જેને લઇને ગ્રામજનો સહિત આસપાસના ખેતરના માલિકોને શ્વાસ લેવામાં તકલીફ અનુભવાય હતી. તો બીજી તરફ, ઘટનાના કલાકો બાદ પણ ફાયર વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. અત્રે મહત્વનું છે કે, સાકરદા ગામ ઉદ્યોગિક વિસ્તાર હોવાથી આ વિસ્તારમાં આવી ઘટનાઓ જ્યારે જ્યારે બને છે, ત્યારે ત્યાં રહેતા લોકોના જીવ જોખમો મુકાઈ જતાં હોય છે.

Read the Next Article

વડોદરા : પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા, 9 વ્યક્તિના મોતની શક્યતા..!

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા.

New Update
  • આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ પર દુર્ઘટના

  • ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ અચાનક તૂટી પડ્યો

  • બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા

  • દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતા

  • અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો વડોદરા જિલ્લાના પાદરા નજીક મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રકએક બોલેરો જીપ સહિત 4 વાહનો 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ થતા જ મુજપુર ગામના લોકો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતાજ્યાં મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડીયા મારતા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તો બીજી તરફબનાવની જાણ થતાં જ 20 જેટલી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ સહિત પાદરા પોલીસ કાફલો અનેNDRFની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે 8 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે. પાદરા હોસ્પિટલમાં 6 અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં 2 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે મોટી દુર્ઘટના સર્જાય છે. ઉલ્લેખનીય છે કેગંભીરા બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને પરિવહન વ્યવસ્થામાં ભારે ખલેલ પહોંચશે. આ બ્રિજ ભરૂચસુરતનવસારીતાપી અને વલસાડ સહિતના મુસાફરો માટે સૌરાષ્ટ્ર જવા માટે ઓછો ફેરાવો અને જલ્દી પહોંચવા માટે ફાયદાકારક હતો. જોકેહવે આ  બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના લોકોને સૌરાષ્ટ્ર જવા માટે ભારે મથામણ કરવી પડશે તેમ ચર્ચાઇ રહ્યું છે.

Latest Stories