વડોદરા: પ્રતાપનગર બ્રિજ પર બે બાઇક વચ્ચે અકસ્માત, બે યુવાનોના કમકમાટીભર્યા મોત

વડોદરા શહેરમાં માજલપુર વિસ્તારના જોડતા પ્રતાપ નગર બ્રિજ ઉપર વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી

New Update
વડોદરા: પ્રતાપનગર બ્રિજ પર બે બાઇક વચ્ચે અકસ્માત, બે યુવાનોના કમકમાટીભર્યા મોત

વડોદરા શહેરના પ્રતાપનગર બ્રિજ પર વહેલી સવારે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બંને બાઈક ચાલકના મોત નીપજતા વાડી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

વડોદરા શહેરમાં માજલપુર વિસ્તારના જોડતા પ્રતાપ નગર બ્રિજ ઉપર વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. જેમાં બે બાઈક વચ્ચે થયેલ અકસ્માતમાં બંને બાઈક ચાલકોના મોત નીપજ્યા હતા.પ્રતાપ નગર બ્રિજ પર ચડતાને ઉતરતા બંને સાઈડે ભારદારી વાહનોની અવર-જવરને પગલે વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાતા જ હોય છે ત્યારે આજે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતને પગલે પ્રતાપ નગર બ્રિજ ઉપર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા.જે અકસ્માત અંગેની જાણ થતા વાડી પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સૌ પ્રથમ ટ્રાફિક ખુલ્લો કરાવી બ્રિજ પર વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો.પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામનાર માંજલપુર દરબાર ચોકડી વિસ્તારમાં રહેતો 21 વર્ષીય શંકર નિનામા જ્યારે તરસાલી આઈ.ટી.આઈ. નજીક રહેતો 36 વર્ષીય રાજેશ માળીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories