વડોદરા: પ્રાચીન મંદિરો અને વન્ય જીવોની ચિત્રકારી માટે નામાંકીત રાજકુમાર જતોલિયાની બેનમૂન ચિત્રકૃતીઓનું પ્રદર્શન યોજાયું

ખજુરાહોના રાજકુમાર જતોલીયા દેશના સદીઓ જૂના પ્રાચીન મંદિરો અને જંગલ વિહારી વન્ય જીવોની ચિત્રકારી - પેઇન્ટિંગ માટે નામાંકીત છે.

New Update
વડોદરા: પ્રાચીન મંદિરો અને વન્ય જીવોની ચિત્રકારી માટે નામાંકીત રાજકુમાર જતોલિયાની બેનમૂન ચિત્રકૃતીઓનું પ્રદર્શન યોજાયું

પ્રાચીન મંદિરો અને વન્ય જીવોની ફોટોગ્રાફી બહુધા થાય છે. પરંતુ ખજુરાહોના રાજકુમાર જતોલીયા દેશના સદીઓ જૂના પ્રાચીન મંદિરો અને જંગલ વિહારી વન્ય જીવોની ચિત્રકારી - પેઇન્ટિંગ માટે નામાંકીત છે. તેઓની બેનમૂન ચિત્રકૃતિઓ હાલમાં યોજાનારા પ્રદર્શનમાં કલાપારખુ વડોદરાવાસીઓ જોઈ શકે છે. આ પ્રદર્શનમાં 30 જેટલી કલાકૃતિઓને દર્શાવી છે.


રાજકુમાર જતોલીયા વિશ્વ કક્ષાની કલા ધરોહરમાં સ્થાન પામેલા ખજુરાહોમાં પોતાનો આર્ટ સ્ટુડિયો ધરાવે છે અને છેલ્લા 17 વર્ષથી ખજુરાહોમાં રહીને ત્યાંના મંદિરો તેમજ મધ્યપ્રદેશ અને ભારતના ઘણા પ્રાચીન મંદિરોના પેન્ટિંગસ તેમણે બનાવ્યા છે. પોતે MFA એટલે માસ્ટર ઓફ ફાઇન આર્ટ્સ છે. ભારતીય વન્યજીવને પેઇન્ટિંગમાં ઉતારવામાં તેમની નિપુણતા છે. ભારતના ઘણાં રાજ્યોમાં તેમના એકલ - solo પ્રદર્શન થઈ ચૂક્યા છે. તેમના પેન્ટિંગસ દેશભરના પ્રતિષ્ઠિત લોકોના ઘરમાં અને સંગ્રહમાં જોવા મળે છે. આર્ટીસ્ટ રાજકુમાર કોફી પેન્ટિંગ, ચારકોલ પેન્ટિંગ, મેક્રો ઇન્કપેન વર્ક જેવા અનેક પ્રકારના પેન્ટિંગસ્ બનાવે છે. તેમની બહેતરીન ચિત્ર કૃતિઓ અને સર્જનોનું વડોદરા શહેરમાં પહેલીવાર પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે. જેને શહેરના જેતલપુર સ્થિત પી.એન.ગાડગીલ એન્ડ સન્સ આર્ટ ગેલેરી ખાતે યોજવામાં આવ્યું છે.

Read the Next Article

વડોદરા : પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા, 9 વ્યક્તિના મોતની શક્યતા..!

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા.

New Update
  • આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ પર દુર્ઘટના

  • ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ અચાનક તૂટી પડ્યો

  • બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા

  • દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતા

  • અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો વડોદરા જિલ્લાના પાદરા નજીક મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રકએક બોલેરો જીપ સહિત 4 વાહનો 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ થતા જ મુજપુર ગામના લોકો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતાજ્યાં મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડીયા મારતા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તો બીજી તરફબનાવની જાણ થતાં જ 20 જેટલી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ સહિત પાદરા પોલીસ કાફલો અનેNDRFની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે 8 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે. પાદરા હોસ્પિટલમાં 6 અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં 2 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે મોટી દુર્ઘટના સર્જાય છે. ઉલ્લેખનીય છે કેગંભીરા બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને પરિવહન વ્યવસ્થામાં ભારે ખલેલ પહોંચશે. આ બ્રિજ ભરૂચસુરતનવસારીતાપી અને વલસાડ સહિતના મુસાફરો માટે સૌરાષ્ટ્ર જવા માટે ઓછો ફેરાવો અને જલ્દી પહોંચવા માટે ફાયદાકારક હતો. જોકેહવે આ  બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના લોકોને સૌરાષ્ટ્ર જવા માટે ભારે મથામણ કરવી પડશે તેમ ચર્ચાઇ રહ્યું છે.