Connect Gujarat
વડોદરા 

વડોદરા : શહેરમાં મહાનુભાવોની પ્રતિમાઓના પોપડા ખરી પડતા લોકોમાં રોષ

વડોદરા શહેરમાં ચાર રસ્તા સહિત અનેક સ્થળોએ લાગેલી મહાનુભાવોની પ્રતિમાઓના પોપડા ખરી પડતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે

X

વડોદરા શહેરમાં ચાર રસ્તા સહિત અનેક સ્થળોએ લાગેલી મહાનુભાવોની પ્રતિમાઓના પોપડા ખરી પડતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

વડોદરા શહેર સંસ્કારી નગરીના વિવિધ વિસ્તારોમાં ચાર રસ્તા સહિત અનેક સ્થળોએ મહાનુભાવોની પ્રતિમાઓ મુકવામાં આવી છે. પરંતુ હાલ આ તમામ પ્રતિમાઓના પોપડા ખરી ગયા છે. તો કેટલીક પ્રતિમાઓ લીલા કલરની થઈ ગઈ છે. બીજી કેટલીક પ્રતિમાઓ દૂરથી જોઈએ તો કોની પ્રતિમા છે તે કહેવું પણ મુશ્કેલ પડી જાય છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ પ્રતિમાઓને દરરોજ કેમિકલથી સાફ-સફાઈ રાખવાની જવાબદારી છે. એક બાજુ વડોદરા મહાનગરપાલિકા આ ખર્ચો નહીં કરીને ભ્રષ્ટાચાર રૂપે નાણાં ઓહિયા કરે છે તેવું સાબિત થાય છે. ત્યારે બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા શાસકો દ્વારા આ મહાનુભાવોની પ્રતિમાઓને ફક્ત અને ફક્ત જન્મ જયંતીના દિવસે યાદ કરીને ફૂલહાર કરીને પોતાના ફોટા પડાવીને ભૂલી જતા હોય છે. ત્યારે શહેરમાં આવેલી તમામ પ્રતિમાઓની સાફ-સફાઈ કરે તેવી લોકોની માંગ છે.

Next Story