વડોદરા : 8 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસતા સંસ્કારીનગરીમાં “જળબંબાકાર”, વિવિધ માર્ગો નદીઓમાં ફેરવાયા...

હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં 5 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદે ભારે ધબધબાટી બોલાવી હતી.

New Update

હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાંદિવસની ભારે વરસાદની આગાહી કરવામાંઆવી છે. ત્યારેવડોદરા શહેર અને જિલ્લામાંવરસાદે ભારેધબધબાટી બોલાવી હતી.

હવામાનવિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આપવામાં આગાહીના પગલે આજે વહેલીસવારથી જ વડોદરા શહેર અને જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.વડોદરા જીલ્લામાંકલાકમાંઇચ વરસાદ ખાબકતા "સ્માર્ટસિટી વડોદરા" પાણીથી તરબતર થઇ ગઇ છે. શહેરના ઉત્તરદક્ષિણપૂર્વ અનેપશ્ચિમ વિસ્તારના તમામ મુખ્ય માર્ગો અને સોસાયટીઓના માર્ગો નદીઓમાં ફેરવાઇગયા છે.

શહેરના વિવિધ વિસ્તારોમાંપાણી ભરાતા વાહનચાલકોસહિત રાહદારીઓનેહાલાકીનો સામનો કરવો પડ્યોહતો, જ્યારે વોટર લોગીનના કારણેઅનેકસોસાયટીઓમાં ડ્રેનેજ મિશ્રિત દૂષિત પાણી લોકોનાઘરોમાં ઘૂસીજતાંલોકો મુશ્કેલીમાંમુકાયા છે.જેમાંલોકોને પોતાનો માલ સામાન સલામત સ્થળેખસેડવાની ફરજ પડી રહી છે. નિચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં ભારેહાલાકી પડી છે. સતત વરસી રહેલા વરસાદને પગલે સ્માર્ટ સિટી વડોદરા પાણીતરબતર થઈ ગયુ છે.તો બીજી તરફ, વડોદરામાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી SDRFની 2 ટીમ અને NDRFની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.