વડોદરા : અનગઢ ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદીનું પાણી ફરી એકવાર પીળું થતાં GPCB તંત્ર દોડતું થયું..!

વડોદરા નજીક આવેલ અનગઢ ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદીનું પાણી ફરી એકવાર પીળું થતાં અનેક અટકળો ઊભી થઈ છે.

New Update
વડોદરા : અનગઢ ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદીનું પાણી ફરી એકવાર પીળું થતાં GPCB તંત્ર દોડતું થયું..!

વડોદરા નજીક આવેલ અનગઢ ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદીનું પાણી ફરી એકવાર પીળું થતાં અનેક અટકળો ઊભી થઈ છે.

વડોદરા નજીક આવેલ અનગઢ ગામ પાસે મસાણી માતાના મંદિર નજીકથી પસાર થતી મહીસાગર નદીનું પાણી ફરી એકવાર પીળું થતાં અનેક અટકળો ઊભી થઈ છે. અવારનવાર કેમિકલ માફીયાઓ દ્વારા મહીસાગર નદીમાં કેમિકલયુક્ત દૂષિત પાણી છોડી નદીને દૂષિત કરવામાં આવે છે, ત્યારે ફરી એકવાર કેમિકલ માફિયાઓ દ્વારા મહીસાગર નદીમાં કેમિકલયુક્ત ઝેરી પાણી છોડી મુકવામાં આવ્યું હતું. જેને પગલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દોડતું થયું હતું. અનગઢ નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં ઝેરી કેમિકલ યુક્ત દૂષિત પાણી છોડાતા ગ્રામજનો પણ રોષે ભરાયા છે. મહીસાગર નદીમાં છોડાયેલ કેમિકલયુક્ત પાણીના પગલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરાતા અધિકારીઓ દોડતા થયા હતા, અને મહીસાગર નદીમાંથી પાણીના સેમ્પલ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.