વડોદરા: ભારત વિકાસ પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો
BY Connect Gujarat10 July 2023 10:07 AM GMT
X
Connect Gujarat10 July 2023 10:07 AM GMT
આજરોજ ભારત વિકાસ પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે વડોદરામાં વૃક્ષારોપાણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
સમર્થ ભારત, સ્વસ્થ ભારત અને સંસ્કૃત ભારતનાં ધ્યેય સાથે સમર્પિત ભારત વિકાસ પરિષદના 10મી જુલાઈના રોજ 60મા સ્થાપના દિવસ નિમિતે વડોદરાના ઈસ્કોન મંદિરનાં પ.પૂ. શ્રી નિત્યાનંદ સ્વામીનાં આશીર્વચન અને હસ્તે વુક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે સંસ્થાના પશ્ચિમ ક્ષેત્રનાં જોઈન્ટ જનરલ સેક્રેટરી ભરતસિંહ ચૌહાણ, પ્રાંતના પ્રમુખ હિતેશ અગ્રવાલ અને શાખા પ્રમુખ અતુલ શેઠ ખાસ ઉપસ્થિત રહી શાખાના સભ્યોનો ઉત્સાહ વધાર્યો હતો.આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને સંપુર્ણ આયોજન અલકાપુરી શાખાના ઉપપ્રમુખ મયુર શાહ અને કમલેશ કુમાવત દ્વારા કરવામાં આવ્યું હતું
Next Story