વડોદરા : વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતાં મગરોની વસ્તી ગણતરી હાથ ધરાય, 27 કિમી વિસ્તારમાં 25 ટીમો કામે લાગી...

વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરની વસ્તી ગણતરી એ વિશ્વામિત્રી પ્રોજેક્ટ તેમજ સ્વચ્છતા અભિયાન માટે ખૂબ જરૂરી છે, ત્યારે તા. 5 અને 6 જાન્યુઆરી એમ 2 દિવસ માટે મગરોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે.

New Update
  • વહીવટી તંત્ર દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો

  • વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતાં મગરોની ગણતરી કરાશે

  • વિશ્વામિત્રી નદીના સ્વચ્છતા અભિયાન માટે ગણતરી જરૂરી

  • 2 દિવસ માટે મગરોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી

  • 27 કિમી વિસ્તારમાં 25 ટીમો દ્વારા મગરોની વસ્તી ગણતરી

વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરની વસ્તી ગણતરી એ વિશ્વામિત્રી પ્રોજેક્ટ તેમજ સ્વચ્છતા અભિયાન માટે ખૂબ જરૂરી છેત્યારે તા. 5 અને 6 જાન્યુઆરી એમ 2 દિવસ માટે મગરોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા સ્થપાયેલા ગીર ફાઉન્ડેશનના ઉપક્રમે વડોદરા કોર્પોરેશનના સહયોગથી મગરોની વસ્તી ગણતરી કરવામાં આવી રહી છેત્યારે મગરની વસ્તી ગણતરી માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા સામાજિક સંસ્થા ઉપરાંત યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓની પણ મદદ લેવામાં આવી છે. જેમાં વેમાલીથી તલસાડ સુધી લગભગ 27 કિલોમીટર વિસ્તારમાં 25થી વધુ ટીમો દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી મગરોની સંખ્યા ગણવામાં આવશે. મગરની સંખ્યા ગણવા માટે 287 જેટલા કર્મચારી અને કાર્યકરો એક કિલોમીટરના એક ઝોન મુજબ કામ કરી રહ્યા છે. એટલું જ નહીંનદીની સાથે સાથે તળાવોમાં પણ મગરો હોવાના કારણે ત્યાં પણ ગણતરી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કેવિશ્વામિત્રી નદીમાં મગરની વસ્તી ગણતરી એ વિશ્વામિત્રી પ્રોજેક્ટ તેમજ સ્વચ્છતા અભિયાન માટે ખૂબ જરૂરી બન્યું છે. જેમાં ડે કાઉન્ટિંગનાઈટ કાઉન્ટિંગ અને બન્ને કાઉન્ટિંગ પરથી જે ડેટા મળશે તેનું એનાલિસિસ કરવામાં આવશે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.