વડોદરા : વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતાં મગરોની વસ્તી ગણતરી હાથ ધરાય, 27 કિમી વિસ્તારમાં 25 ટીમો કામે લાગી...

વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરની વસ્તી ગણતરી એ વિશ્વામિત્રી પ્રોજેક્ટ તેમજ સ્વચ્છતા અભિયાન માટે ખૂબ જરૂરી છે, ત્યારે તા. 5 અને 6 જાન્યુઆરી એમ 2 દિવસ માટે મગરોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે.

New Update
  • વહીવટી તંત્ર દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો

  • વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતાં મગરોની ગણતરી કરાશે

  • વિશ્વામિત્રી નદીના સ્વચ્છતા અભિયાન માટે ગણતરી જરૂરી

  • 2 દિવસ માટે મગરોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી

  • 27 કિમી વિસ્તારમાં 25 ટીમો દ્વારા મગરોની વસ્તી ગણતરી

Advertisment

વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરની વસ્તી ગણતરી એ વિશ્વામિત્રી પ્રોજેક્ટ તેમજ સ્વચ્છતા અભિયાન માટે ખૂબ જરૂરી છેત્યારે તા. 5 અને 6 જાન્યુઆરી એમ 2 દિવસ માટે મગરોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા સ્થપાયેલા ગીર ફાઉન્ડેશનના ઉપક્રમે વડોદરા કોર્પોરેશનના સહયોગથી મગરોની વસ્તી ગણતરી કરવામાં આવી રહી છેત્યારે મગરની વસ્તી ગણતરી માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા સામાજિક સંસ્થા ઉપરાંત યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓની પણ મદદ લેવામાં આવી છે. જેમાં વેમાલીથી તલસાડ સુધી લગભગ 27 કિલોમીટર વિસ્તારમાં 25થી વધુ ટીમો દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી મગરોની સંખ્યા ગણવામાં આવશે. મગરની સંખ્યા ગણવા માટે 287 જેટલા કર્મચારી અને કાર્યકરો એક કિલોમીટરના એક ઝોન મુજબ કામ કરી રહ્યા છે. એટલું જ નહીંનદીની સાથે સાથે તળાવોમાં પણ મગરો હોવાના કારણે ત્યાં પણ ગણતરી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કેવિશ્વામિત્રી નદીમાં મગરની વસ્તી ગણતરી એ વિશ્વામિત્રી પ્રોજેક્ટ તેમજ સ્વચ્છતા અભિયાન માટે ખૂબ જરૂરી બન્યું છે. જેમાં ડે કાઉન્ટિંગનાઈટ કાઉન્ટિંગ અને બન્ને કાઉન્ટિંગ પરથી જે ડેટા મળશે તેનું એનાલિસિસ કરવામાં આવશે.

Latest Stories