વડોદરા: રોયલ મેળામાં રાઈડના દરવાજા ખુલી જતા બાળકોના જીવ જોખમમાં મુકાયા,પોલીસે શરૂ કરી તપાસ

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી બ્રિજ પાસે રોયલ મેળામાં એક રાઇડના દરવાજા ખુલી જતા ચાર  બાળકોના જીવ પર જોખમ ઉભુ થયું હતું.જોકે સદનસીબે તેમને ગંભીર ઇજાઓ પહોંચી નહતી.

New Update
  • રોયલ મેળામાં સર્જાયું જોખમ

  • રાઈડ ઓપરેટરની ગંભીર બેદરકારી

  • ચાલુ રાઇડમાં દરવાજો ખુલી ગયો

  • ચાર જેટલા બાળકો પર સર્જાયું જોખમ

  • ફાયર બ્રિગેડના સૈનિકની સરાહનીય બચાવ કામગીરી

  • પોલીસે રાઈડ બંધ કરાવીને તપાસ શરૂ કરી

  • સંચાલક,મેનેજર અને ઓપરેટર સામે નોંધાઈ ફરિયાદ

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી બ્રિજ પાસે રોયલ મેળામાં એક રાઇડના દરવાજા ખુલી જતા ચાર  બાળકોના જીવ પર જોખમ ઉભુ થયું હતું.જોકે સદનસીબે તેમને ગંભીર ઇજાઓ પહોંચી નહતી.અને મોટી દુર્ઘટના ટળતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

વડોદરા શહેરના વિશ્વામિત્રી  બ્રિજ નજીક અવધૂત ફાટકની સામે આવેલી  ગાયકવાડી જગ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી રોયલ મેળો ચાલી રહ્યો છે.જેમાં જુદી જુદી રાઇડ્સ ઉપરાંત ખાણીપીણીના સ્ટોલ મુકવામાં આવ્યા છે.ક્રિસમસની રજાઓને કારણે આનંદ મેળામાં વધુ ભીડ હતી અને તે દરમિયાન ઓપરેટરની બેદરકારીને કારણે હેલિકોપ્ટર રાઇડે સ્પીડ પકડી તે સાથે જ બે દરવાજા ખૂલી જતાં ત્રણ થી ચાર  બાળકો લટકી પડ્યા હતા.જેને કારણે  બૂમરાણ મચી હતી.

વાલીઓએ રાઇડ રોકવા માટે ચીસો પાડી હતી.પરંતુ ઓપરેટર સ્થળ છોડીને ફરાર થઇ ગયો હતો.જેને કારણે લટકી રહેલા બાળકો ફંગોળાયા હતા.તે દરમિયાન એક વાલીએ વાયર ખેંચી લેતા રાઇડ  બંધ થઈ હતી અને બાળકોના જીવ બચી ગયા હતા.

બનાવ બાદ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.પોલીસ અધિકારીઓએ તાત્કાલિક આનંદ મેળો બંધ કરાવી મંજૂરીઓને લગતી તપાસ શરૂ કરાવી હતી.

ફુલસ્પિડે ફરી રહેલી રાઇડના દરવાજા ખૂલતાં બાળકોના જીવ જોખમમાં મુકાયા હતા.આવા સમયે ઓપરેટર પણ ફરાર થઇ જતાં પોતાના પુત્રને લઈને ગયેલા પાણીગેટ ફાયર  બ્રિગેડના સૈનિકે જાનની  બાજી લગાવી રાઇડના બાળકોનો જીવ બચાવ્યો હતો.

ફાયર બ્રિગેડના સર સૈનિક તેમના પુત્રને લઈને આનંદ મેળામાં ગયા હતા.જે રાઇડમાં બનાવ બન્યો તેમાં તેમનો પુત્ર પણ બેઠો હતો.રાઇડે સ્પીડ પકડતાં જ બે થી ત્રણ દરવાજા ખૂલી ગયા હતા.જેથી બૂમાબૂમ થઈ ગઈ હતી.

આ વખતે ઓપરેટર પણ ભાગી ગયો હતો.જેથી બાળકોને બચાવવા માટે વાલીઓ જીવ જોખમમાં મુકી હાથથી રાઇડ રોકવા દોડ્યા હતા.જે દરમિયાન સરસૈનિકે રાઇડના વાયરો ખેંચી નાખતા રાઇડ રોકાઇ ગઇ હતી.જો તેઓ ના હોત તો મોટી દુર્ઘટના થઇ હોત.

ઘટનાની ગંભીરતા પારખીને વડોદરા જોઈન્ટ પોલીસ કમિશનર ડો.લીના પાટીલ સહિતના પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા,અને રોયલ મેળાના સંચાલક,મેનેજર તથા રાઇડના ઓપરેટર સામે પોલીસ દ્વારા ગુન્હો દાખલ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યુ છે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.