વડોદરા : રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો નાગરિકોને મળશે લાભ, અટલાદરા-ગોત્રી ખાતે જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરાયો
શહેર તથા જિલ્લાના નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ મળી રહે તે માટે અટલાદરા અને ગોત્રી ખાતે જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
BY Connect Gujarat Desk7 Oct 2022 1:40 PM GMT
X
Connect Gujarat Desk7 Oct 2022 1:40 PM GMT
વડોદરા શહેર તથા જિલ્લાના નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ મળી રહે તે માટે અટલાદરા અને ગોત્રી ખાતે જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારની વિવિધ યોજના જેવી કે, અરજદારોને રેશનકાર્ડ, આવક અને જાતિનો દાખલો, નોન-ક્રિમીલેયર, ડોમિસાઇલ, વિધવા સહાય, સિનિ. સિટીઝનનું પ્રમાણપત્ર સહિતની સરકારની વિવિધ યોજનાની સેવાઓ ઘરથી નજીકના સ્થળે મળી રહે, તે હેતુથી વડોદરા શહેરના અટલાદરા અને ગોત્રી વિસ્તારમાં જનસેવા કેન્દ્રનો વડોદરાના પ્રભારી મંત્રીના વરદ્હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે આ પ્રસંગે વધુમાં વધુ અરજદારો સરકારની વિવિધ યોજનાઓના ઘર આંગણે જ લાભ લે તે માટે વડોદરાના પ્રભારી મંત્રીએ જાહેર જનતાને અપીલ કરી છે.
Next Story