/connect-gujarat/media/post_banners/d18144e4602f6582f524eef7a173a7f60c743eb2ab4b334bd579bb6600af7a13.webp)
વડોદરા શહેર તથા જિલ્લાના નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ મળી રહે તે માટે અટલાદરા અને ગોત્રી ખાતે જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારની વિવિધ યોજના જેવી કે, અરજદારોને રેશનકાર્ડ, આવક અને જાતિનો દાખલો, નોન-ક્રિમીલેયર, ડોમિસાઇલ, વિધવા સહાય, સિનિ. સિટીઝનનું પ્રમાણપત્ર સહિતની સરકારની વિવિધ યોજનાની સેવાઓ ઘરથી નજીકના સ્થળે મળી રહે, તે હેતુથી વડોદરા શહેરના અટલાદરા અને ગોત્રી વિસ્તારમાં જનસેવા કેન્દ્રનો વડોદરાના પ્રભારી મંત્રીના વરદ્હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે આ પ્રસંગે વધુમાં વધુ અરજદારો સરકારની વિવિધ યોજનાઓના ઘર આંગણે જ લાભ લે તે માટે વડોદરાના પ્રભારી મંત્રીએ જાહેર જનતાને અપીલ કરી છે.