વડોદરા: CM ભુપેન્દ્ર પટેલના હસ્તે સાંસદ કાર્યાલય તેમજ અટલ જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન

કલેકટર કચેરી ખાતે યુવા સાંસદ ડો હેમાંગ જોશીના સાંસદ કાર્યાલય તેમજ અટલ જનસેવા કેન્દ્રનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

New Update

વડોદરામાં યોજાયો કાર્યક્રમ

સાંસદ કાર્યાલયનું ઉદ્ઘાટન

અટલ જનસેવા કેન્દ્રનો પણ કરાયો પ્રારંભ

સી.એમ.ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

અનેક આગેવાનોએ આપી હાજરી

વડોદરા શહેરની કલેકટર કચેરી ખાતે યુવા સાંસદ ડો.હેમાંગ જોશીનું સાંસદ કાર્યાલય તેમજ અટલ જન સેવા કાર્યાલયનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

વડોદરા શહેરમાં  28 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ સ્પેનના પ્રધાનમંત્રી પધારવાના છે તેને લઈને શહેરમાં તડામાર તૈયારીઓ કરી દેવામાં આવે છે ત્યારે કલેકટર કચેરી ખાતે યુવા સાંસદ ડો હેમાંગ જોશીના સાંસદ કાર્યાલય તેમજ અટલ જનસેવા કેન્દ્રનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મહત્વની વાત છે કે નાગરિકોને લાભદાયી યોજનાનો અટલ જનસેવા કેન્દ્રથી જ અધિકારીઓ દ્વારા જાણકારી આપવામાં આવશે તેમજ નાગરિકોને યોજનાના લાભને લગતા પ્રશ્નોનું નિરાકરણ અટલ જનસેવા કેન્દ્રથી કરવામાં આવશે..
Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.