વડોદરા : પોર GIDCમાં ચાની લારી ચલાવતા વ્યક્તિની હત્યાથી ચકચાર, હત્યાનું કારણ અકબંધ...

જિલ્લાની પોર જીઆઈડીસી વિસ્તારમાં ચાની લારી ચલાવતા 45 વર્ષીય વ્યક્તિનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

New Update
વડોદરા : પોર GIDCમાં ચાની લારી ચલાવતા વ્યક્તિની હત્યાથી ચકચાર, હત્યાનું કારણ અકબંધ...

વડોદરા જિલ્લાની પોર જીઆઈડીસી વિસ્તારમાં ચાની લારી ચલાવતા 45 વર્ષીય વ્યક્તિનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, વડોદરાના વરણામા ગામના રહેવાસી અને પોર રમણગામડીમાં રહેતા જયેશ પરમારનો પોર જીઆઈડીસીમાં વહેલી સવારે 5.30 વાગ્યાના અરસામાં હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેઓ એક ખાનગી કંપનીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા તેમજ ચાની દુકાન પણ ચલાવતા હતા. કોઈ અજાણ્યા ઈસમો દ્વારા જયેશ પરમારને શરીરના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી હત્યા કરવામાં આવી છે, ત્યારે બનાવની જાણ થતાં જ એલસીબી, એસઓજી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં ડોગ સ્કોર્ડની મદદ લઈ હત્યા કરનાર આરોપી સુધી પહોંચવા પોલીસે તપાસ હાથ ધરી હતી. 45 વર્ષીય જયેશ પરમારના પરિવારમાં તેમની ધર્મપત્ની અને 2 સંતોનો સાથે રહી ચાની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા, ત્યારે વહેલી સવારે રાજેશ પરમારની થયેલી હત્યાનું કારણ અકબંધ છે, ત્યારે આરોપી સુધી પહોચવા માટે પોલીસે અલગ ટીમો બનાવી છે. વહેલી તકે હત્યારાને ઝડપી લેવા પોલીસે નાકાબંદી સાથે સીસીટીવી ફૂટેજની મદદ લઈ તપાસને વધુ તેજ બનાવી છે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.