વડોદરા : પોર GIDCમાં ચાની લારી ચલાવતા વ્યક્તિની હત્યાથી ચકચાર, હત્યાનું કારણ અકબંધ...

જિલ્લાની પોર જીઆઈડીસી વિસ્તારમાં ચાની લારી ચલાવતા 45 વર્ષીય વ્યક્તિનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

New Update
વડોદરા : પોર GIDCમાં ચાની લારી ચલાવતા વ્યક્તિની હત્યાથી ચકચાર, હત્યાનું કારણ અકબંધ...

વડોદરા જિલ્લાની પોર જીઆઈડીસી વિસ્તારમાં ચાની લારી ચલાવતા 45 વર્ષીય વ્યક્તિનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, વડોદરાના વરણામા ગામના રહેવાસી અને પોર રમણગામડીમાં રહેતા જયેશ પરમારનો પોર જીઆઈડીસીમાં વહેલી સવારે 5.30 વાગ્યાના અરસામાં હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેઓ એક ખાનગી કંપનીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા તેમજ ચાની દુકાન પણ ચલાવતા હતા. કોઈ અજાણ્યા ઈસમો દ્વારા જયેશ પરમારને શરીરના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી હત્યા કરવામાં આવી છે, ત્યારે બનાવની જાણ થતાં જ એલસીબી, એસઓજી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં ડોગ સ્કોર્ડની મદદ લઈ હત્યા કરનાર આરોપી સુધી પહોંચવા પોલીસે તપાસ હાથ ધરી હતી. 45 વર્ષીય જયેશ પરમારના પરિવારમાં તેમની ધર્મપત્ની અને 2 સંતોનો સાથે રહી ચાની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા, ત્યારે વહેલી સવારે રાજેશ પરમારની થયેલી હત્યાનું કારણ અકબંધ છે, ત્યારે આરોપી સુધી પહોચવા માટે પોલીસે અલગ ટીમો બનાવી છે. વહેલી તકે હત્યારાને ઝડપી લેવા પોલીસે નાકાબંદી સાથે સીસીટીવી ફૂટેજની મદદ લઈ તપાસને વધુ તેજ બનાવી છે.

Read the Next Article

વડોદરા : પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા, 9 વ્યક્તિના મોતની શક્યતા..!

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા.

New Update
  • આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ પર દુર્ઘટના

  • ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ અચાનક તૂટી પડ્યો

  • બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા

  • દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતા

  • અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો વડોદરા જિલ્લાના પાદરા નજીક મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રકએક બોલેરો જીપ સહિત 4 વાહનો 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ થતા જ મુજપુર ગામના લોકો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતાજ્યાં મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડીયા મારતા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તો બીજી તરફબનાવની જાણ થતાં જ 20 જેટલી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ સહિત પાદરા પોલીસ કાફલો અનેNDRFની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે 8 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે. પાદરા હોસ્પિટલમાં 6 અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં 2 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે મોટી દુર્ઘટના સર્જાય છે. ઉલ્લેખનીય છે કેગંભીરા બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને પરિવહન વ્યવસ્થામાં ભારે ખલેલ પહોંચશે. આ બ્રિજ ભરૂચસુરતનવસારીતાપી અને વલસાડ સહિતના મુસાફરો માટે સૌરાષ્ટ્ર જવા માટે ઓછો ફેરાવો અને જલ્દી પહોંચવા માટે ફાયદાકારક હતો. જોકેહવે આ  બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના લોકોને સૌરાષ્ટ્ર જવા માટે ભારે મથામણ કરવી પડશે તેમ ચર્ચાઇ રહ્યું છે.