વડોદરા : માનવસર્જિત પૂર હોવાના આક્ષેપ સાથે કલેક્ટર કચેરીએ કોંગ્રેસનો હલ્લાબોલ, પોલીસ-કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ

પૂરની પરિસ્થિતિ બાદ હવે કોંગ્રેસ સમિતિ આકરા પાણીએ આવી છે. કોંગ્રેસના આગેવાનોએ વડોદરા કલેક્ટર કચેરીએ હાય રે... ભાજપ હાય... હાય...ના નારા લગાવ્યા

New Update

શહેરમાં માનવસર્જિત પૂર હોવાનો કોંગ્રેસે કર્યો આક્ષેપ

શહેરમાં પૂરને લઈ કલેક્ટર કચેરીએ કોંગ્રેસનો વિરોધ

‘HM અને CM શરમ કરોશરમ કરોના નારા લાગ્યા

પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સર્જાયું ઘર્ષણ

કલેક્ટર કચેરીએ આવેદન આપી ઉગ્ર રજૂઆત કરાય

વડોદરા શહેરમાં માનવસર્જિત પૂરમાં અનેક નાગરિકોને ખૂબ મોટું નુકશાન થયું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ હવે કોંગ્રેસ સમિતિ આકરા પાણીએ આવી છે. કોંગ્રેસના આગેવાનોએ વડોદરા કલેક્ટર કચેરીએ હાય રે... ભાજપ હાય... હાય...ના નારા લગાવ્યા હતા. આ સાથે જ વડોદરા કલેક્ટરને  આવેદન પત્ર આપવા આવેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

જેમાં ફક્ત 5 વ્યક્તિને આવેદન આપવા જવાનું જણાવતા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ કલેક્ટરની ઓફિસમાં પ્રવેશી ગયા હતા. આ દરમ્યાન પોલીસ સાથે કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું થયું. આ રજૂઆતમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોષીજિલ્લા પ્રમુખ જશપાલસિંહ પઢીયારવિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

તો બીજી તરફવડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલી ઉગ્ર રજૂઆતના પગલે જિલ્લા કલેક્ટર બિજલ શાહએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કેકોંગ્રેસની રજૂઆતમાં સરકારી જમીનો પર વિશ્વામિત્રી નદીના દબાણો પગલે આ અંગેનું જિલ્લા વહીવટી તંત્ર અને મહેસૂલ તંત્ર સર્વે કરવામાં આવશે.

આ દબાણો અંગે જે કોઈ રજૂઆતો હશે તેની તપાસ કરવામાં આવશે. આ સાથે અમારી પાસે રહેલી જગ્યાની અમારી યાદી છે. તે અંગેના અપડેટમાં પહેલાના સમયમાં અને હાલના સમયની સ્થિતી જોવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કેશહેરમાં સફાઈ સાથે આરોગ્યલક્ષી જે કોઈ કામગીરી છેતે યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે તેવી અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.