વડોદરા: રણછોડરાય મંદિરની વિવાદીત તોપનું કોર્ટે ધડાકો કરી નિરીક્ષણ કર્યું ,46 ફૂટ દૂર અવાજ સંભળાયો

રણછોડરાયજી મંદિરમાં તુલસી વિવાહ પૂર્વે ભગવાનને સલામી આપવા તોપ ફોડવાની પરંપરા 28 વર્ષથી કાયદાની ગૂંચવણમાં ફસાયેલી છે.

New Update
વડોદરા: રણછોડરાય મંદિરની વિવાદીત તોપનું કોર્ટે ધડાકો કરી નિરીક્ષણ કર્યું ,46 ફૂટ દૂર અવાજ સંભળાયો

વડોદરાના એમજી રોડ સ્થિત 172 વર્ષ જૂના રણછોડરાયજી મંદિરમાં તુલસી વિવાહ પૂર્વે ભગવાનને સલામી આપવા તોપ ફોડવાની પરંપરા 28 વર્ષથી કાયદાની ગૂંચવણમાં ફસાયેલી છે જે બાબતે કોર્ટ દ્વારા મહત્વની કાર્યવાહી કરવામાં આવી હતી.

વડોદરાના એમજી રોડ સ્થિત 172 વર્ષ જૂના રણછોડરાયજી મંદિરમાં તુલસી વિવાહ પૂર્વે ભગવાનને સલામી આપવા તોપ ફોડવાની પરંપરા 28 વર્ષથી કાયદાની ગૂંચવણમાં ફસાયેલી છે. સલામતીના પ્રશ્ને સિવિલ કોર્ટમાં ચાલતા કેસમાં કોર્ટની પરવાનગી લઇ તોપનું પરીક્ષણ કરાયું હતું. નવલખી મેદાનમાં એસડીએમ, કોર્ટ દ્વારા નિમણૂક કરાયેલા નિરીક્ષકો, સિનિયર વકીલો, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં તોપનું પરીક્ષણ કરી કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. આ અંગે શ્રીરણછોડરાયજી મંદિરના પૂજારી જનાર્દન દવેએ કહ્યું કે, પાલનપુરથી ખાસ દારૂગોળાને પેટીમાંં લાવવામાં આવ્યો હતો. દારૂગોળાની ટીમ દ્વારા માદરપાટના કાપડમાં આ પાઉડરને પેક કરી મૂકવામાં આવ્યો હતો. જેમાં 250થી 300 ગ્રામ દારૂગોળો ઉપયોગમાં લેવાયો હતો. ત્યારબાદ તોપ ફોડાઇ હતી. તોપ ફૂટીને દારૂગોળો કેટલે દૂર જઇ પડ્યો તેનું અંતર માપી પરીક્ષણ કરાયું હતું. સિવિલ કોર્ટમાં જુબાની વેળા કોર્ટે પૂછ્યું કે, તોપ બરાબર છે કે નહીં તે જાણવા તેનું ટેસ્ટિંગ કરાયું તો વાંધો નથી ને. જેથી મેં ટેસ્ટિંગની હા કહેતાં કોર્ટે પરમિશનની અરજી આપવા જણાવ્યું હતું. જે મેં આપી હતી. ઉલ્લેખનિય છે કે, 1999 અને 2010માં પણ ટેસ્ટિંગ થયું હતું.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.