વડોદરા : સ્માર્ટ રોડની કામગીરીમાં ડખા, જુઓ સોમા તળાવ-કપુરાઈને જોડતા માર્ગની હાલત..!

શહેરમાં 10 સ્માર્ટ રોડ બનાવવા મનપાની કામગીરી, નવા રોડની યોગ્યતા જળવાઈ તેવી ઉઠી છે લોકમાંગ

New Update
વડોદરા : સ્માર્ટ રોડની કામગીરીમાં ડખા, જુઓ સોમા તળાવ-કપુરાઈને જોડતા માર્ગની હાલત..!

વડોદરા કોર્પોરેશન દ્વારા 10 સ્માર્ટ રોડ પૈકી સોમા તળાવ-કપુરાઈને જોડતા સ્માર્ટ રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદી ગટર ઉપર નાખવામાં આવેલ ઢાંકણોની એંગલો તૂટેલી હોય તેમ છતાં સુપરવાઇઝરે યોગ્ય ધ્યાન નહીં આપતા લોકોના જોખમને આમંત્રણ મળી રહ્યું છે.

વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની હોડ જામી છે. વડોદરામાં 10 સ્માર્ટ રોડ તૈયાર કરવામાં આવનાર છે. જે પૈકી સોમા તળાવ અને કપુરાઈને જોડતા સ્માર્ટ રોડની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પરંતુ અહીં ઇજારદાર દ્વારા વરસાદી ગટર ઉપર જે લોખંડના મજબૂત ઢાંકણ ફિટ કરવામાં આવ્યા છે. તેમાં ઢાંકણોની એંગલ તૂટેલી હોય જેથી ગમે ત્યારે અકસ્માતને આમંત્રણ આપે તેમ છે. આ ઉપરાંત રોડમાં કેટલીક જગ્યાએ કામગીરી પણ અધૂરી છે, ત્યારે રોડની કામગીરી સત્વરે પૂર્ણ થાય અને તેનું સુપરવિઝન પણ યોગ્ય કક્ષાએથી થાય તેવી માંગ ઉઠવા પામી છે. તો બીજી તરફ, સોમા તળાવથી મહાનગર સુધી બની રહેલા નવા રોડની પણ યોગ્યતા જળવાઈ અને ઠોસ કામગીરી થાય તેવી માંગ પણ ઉઠી છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

Latest Stories