વડોદરા : MS યુનિમાં સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સમાં એડમિશન આપવાની માંગ

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે ગતરોજ સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 1400 બેઠક વધારવાનો નિર્ણય કર્યો હતો.

New Update

હમેશા વિવાદોમાં સપડાયેલી વડોદરા શહેરનીMS યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન આપવાની માંગ સાથે વિદ્યાર્થી સંગઠનોએ હાથમાં લોલીપોપ લઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે ગતરોજ સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 1400 બેઠક વધારવાનો નિર્ણય કર્યો હતો. જેનો વડોદરાના વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કારણ કેવિદ્યાર્થીઓની માગ છે કેવડોદરાના તમામ વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ આપવામાં આવેત્યારે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ લોલીપોપની મોટી પ્રતિકૃતિ બનાવી સત્તાધીશને આપવા આવ્યા હતા.

જોકેલોલીપોપ સત્તાધીશને આપે એ પહેલાં જ પોલીસે તમામ વિદ્યાર્થીઓને રોકી લેતાં ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે વિદ્યાર્થીઓની લોલીપોપ છીનવી તોડી નાખી હતી. પોલીસે લોલીપોપ ખેંચવાનો પ્રયાસ કરતાં વિદ્યાર્થીઓમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓની બસ એક જ માગણી છે કેવડોદરાના તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં પ્રવેશ આપવામાં આવે.AGSUના વિદ્યાર્થી નેતાએ જણાવ્યું હતું કેસ્થાનિક વિદ્યાર્થીઓ માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે. કુલપતિ સ્ટેટમેન્ટમાં એવું બોલ્યા હતા કે1400 સીટનો વધારો કરવામાં આવ્યો છે. પરંતુ પહેલા દિવસથી એક જ નામ છે. વડોદરાના તમામ સ્થાનિ

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.