વડોદરા : MS યુનિમાં સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સમાં એડમિશન આપવાની માંગ

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે ગતરોજ સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 1400 બેઠક વધારવાનો નિર્ણય કર્યો હતો.

New Update

હમેશા વિવાદોમાં સપડાયેલી વડોદરા શહેરની MS યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન આપવાની માંગ સાથે વિદ્યાર્થી સંગઠનોએ હાથમાં લોલીપોપ લઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે ગતરોજ સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 1400 બેઠક વધારવાનો નિર્ણય કર્યો હતો. જેનો વડોદરાના વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કારણ કેવિદ્યાર્થીઓની માગ છે કેવડોદરાના તમામ વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ આપવામાં આવેત્યારે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ લોલીપોપની મોટી પ્રતિકૃતિ બનાવી સત્તાધીશને આપવા આવ્યા હતા.

જોકેલોલીપોપ સત્તાધીશને આપે એ પહેલાં જ પોલીસે તમામ વિદ્યાર્થીઓને રોકી લેતાં ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે વિદ્યાર્થીઓની લોલીપોપ છીનવી તોડી નાખી હતી. પોલીસે લોલીપોપ ખેંચવાનો પ્રયાસ કરતાં વિદ્યાર્થીઓમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓની બસ એક જ માગણી છે કેવડોદરાના તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં પ્રવેશ આપવામાં આવે. AGSUના વિદ્યાર્થી નેતાએ જણાવ્યું હતું કેસ્થાનિક વિદ્યાર્થીઓ માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે. કુલપતિ સ્ટેટમેન્ટમાં એવું બોલ્યા હતા કે1400 સીટનો વધારો કરવામાં આવ્યો છે. પરંતુ પહેલા દિવસથી એક જ નામ છે. વડોદરાના તમામ સ્થાનિ

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.