વડોદરા: પરિવારની જીદના કારણે એક સાથે ત્રણ જિંદગી બરબાદ, લગ્નના 10માં દિવસે જ પરણિત યુવકે પ્રેમિકા સાથે મોતને વ્હાલું કર્યું

New Update
વડોદરા: પરિવારની જીદના કારણે એક સાથે ત્રણ જિંદગી બરબાદ, લગ્નના 10માં દિવસે જ પરણિત યુવકે પ્રેમિકા સાથે મોતને વ્હાલું કર્યું

વડોદરાનો ચકચારી બનાવ

પ્રેમી યુગલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

પ્રેમ પ્રકરણમાં કર્યો આપઘાત

પોલીસે ગુનો નોંધી વધુ તપસ હાથ ઘરી

પાવગઢના ખાતે આવેલ માછી જતા અટક દરવાજા પાસે અંતરિયાળ વિસ્તારમાં યુવા પ્રેમી યુગલ દ્ધારા સાતકના ઝાડની ડાળી પર દુપટ્ટાથી ગાળિયો બનાવી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી॰

મળતી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નાંદરખા ગામે રહેતા 19 વર્ષીય કિરણકુમાર ધીરુભાઈ રાઠવાના લગ્ન 10 દિવસ પહેલા જ પરિવારની મરજીથી થયા હતા, પરંતુ કિરણ ઘોઘંબા તાલુકાના અંતરિયાળ ગામની યુવતી ને દિલ દઈ બેઠો હતો અને સાથે જીવા મરવાની કસમો એક બીજાને આપી ચૂકયા હતા। પરંતુ પરિવારના દબાણને વશ થઇ પરિવાર દ્ધારા પસંદ કરવામાં આવેલ યુવતી સાથે લગ્ન થતા કિરણ નાસીપાસ થઇ ગયો હતો॰ ત્યારે એકબીજાના ના થઇ શકેલ પ્રેમી યુગલે એક સાથે જીવન ટૂંકાવવાનું નક્કી કરી આજે પાવાગઢ ના માછી ખાતે આવેલ જંગલ માં સાતક ના ઝાડની ડાળી પર બે અલગ અલગ દુપટ્ટાને ગાંઠ મારી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. સમગ્ર ઘટનાની જાણ પાવાગઢ પોલીસને કરતા પાવાગઢ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થાનિકો ની મદદ થી મૃતક યુવક યુવતીના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે એડી નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.  

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.