વડોદરા: પરિવારની જીદના કારણે એક સાથે ત્રણ જિંદગી બરબાદ, લગ્નના 10માં દિવસે જ પરણિત યુવકે પ્રેમિકા સાથે મોતને વ્હાલું કર્યું

New Update
વડોદરા: પરિવારની જીદના કારણે એક સાથે ત્રણ જિંદગી બરબાદ, લગ્નના 10માં દિવસે જ પરણિત યુવકે પ્રેમિકા સાથે મોતને વ્હાલું કર્યું

વડોદરાનો ચકચારી બનાવ

પ્રેમી યુગલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

પ્રેમ પ્રકરણમાં કર્યો આપઘાત

પોલીસે ગુનો નોંધી વધુ તપસ હાથ ઘરી

પાવગઢના ખાતે આવેલ માછી જતા અટક દરવાજા પાસે અંતરિયાળ વિસ્તારમાં યુવા પ્રેમી યુગલ દ્ધારા સાતકના ઝાડની ડાળી પર દુપટ્ટાથી ગાળિયો બનાવી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી॰

મળતી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નાંદરખા ગામે રહેતા 19 વર્ષીય કિરણકુમાર ધીરુભાઈ રાઠવાના લગ્ન 10 દિવસ પહેલા જ પરિવારની મરજીથી થયા હતા, પરંતુ કિરણ ઘોઘંબા તાલુકાના અંતરિયાળ ગામની યુવતી ને દિલ દઈ બેઠો હતો અને સાથે જીવા મરવાની કસમો એક બીજાને આપી ચૂકયા હતા। પરંતુ પરિવારના દબાણને વશ થઇ પરિવાર દ્ધારા પસંદ કરવામાં આવેલ યુવતી સાથે લગ્ન થતા કિરણ નાસીપાસ થઇ ગયો હતો॰ ત્યારે એકબીજાના ના થઇ શકેલ પ્રેમી યુગલે એક સાથે જીવન ટૂંકાવવાનું નક્કી કરી આજે પાવાગઢ ના માછી ખાતે આવેલ જંગલ માં સાતક ના ઝાડની ડાળી પર બે અલગ અલગ દુપટ્ટાને ગાંઠ મારી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. સમગ્ર ઘટનાની જાણ પાવાગઢ પોલીસને કરતા પાવાગઢ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થાનિકો ની મદદ થી મૃતક યુવક યુવતીના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે એડી નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.  

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.