વડોદરા : 228 દિવસ બાદ પણ કુખ્યાત શાર્પ શૂટર એન્થોની પોલીસ પકડથી દૂર, વાંચો પોલીસે કેવું ઇનામ જાહેર કર્યું..!

વડોદરાના કુખ્યાત શાર્પ શૂટર અનિલ ઉર્ફે એન્થોની મૂલચંદ ગંગવાણી (રહે. સવાદ ક્વાર્ટર, હરણી રોડ) 8 મહિના ઉપરાંતથી ફરાર છે.

New Update
વડોદરા : 228 દિવસ બાદ પણ કુખ્યાત શાર્પ શૂટર એન્થોની પોલીસ પકડથી દૂર, વાંચો પોલીસે કેવું ઇનામ જાહેર કર્યું..!

વડોદરાના કુખ્યાત શાર્પશૂટર અનિલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાણી ગત તા. 6 મે-2022થી ફરાર છે. કુખ્યાત એન્થોનીને ઝડપી પાડવા વડોદરા પોલીસે અન્ય રાજ્યોમાં પણ તપાસ હાથ ધરી હતી. પરંતુ આખરે નિષ્ફળતાજ હાથ લાગી હતી. એન્થોની સામે પોલીસનું હ્યુમન નેટવર્ક અને ટેક્નિકલ સપોર્ટ નિષ્ફળ રહ્યા હોવાનું આજની જાહેરાત પરથી ફલિત થાય છે. તેવામાં હવે 228 દિવસથી ફરાર એન્થોનીને પકડવામાં અથવા તો પકડાવવામાં મદદ કરનારને આકર્ષક ઇનામ આપવાની વડોદરા પોલીસે જાહેરાત કરી છે.

વડોદરાના કુખ્યાત શાર્પ શૂટર અનિલ ઉર્ફે એન્થોની મૂલચંદ ગંગવાણી (રહે. સવાદ ક્વાર્ટર, હરણી રોડ) 8 મહિના ઉપરાંતથી ફરાર છે. એન્થોની સામે ખંડણ, હત્યા સહિત અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગત તા. 6મે-2022ના રોજ એન્થોનીને પોલીસ જાપ્તામાં છોટાઉદેપુર સબજેલમાંથી વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. જે બાદ એન્થોનીએ પત્ની અને દિકરીને મળવાની જીદ કરતા પી.એસ.આઇ જે.પી ડામોર તેની વાતમાં આવી સયાજીગંજની પુજા હોટલમાં તેને લઇ ગયા હતા. એક તરફ એન્થોની ભાગવાની યોજના બનાવી બેઠો હતો અને પી.એસ.આઇ જે.પી ડામોર હોટલમાં જમવા માટે ગયા હતા. જેથી એન્થોનીને છુટ્ટો દોર મળતા એ અન્ય સાગરીતોની મદદથી હોટલમાંથી ફરાર થઇ ગયો હતો. પુજા હોટલમાંથી ફરાર થયેલી એન્થોનીનો આજદિન સુધી કોઇ પત્તો મળ્યો નથી. જોકે તેને ભાગવામાં મદદરૂપ થનાર તેની પત્ની, બહેન સહિતના સાગરીતો પોલીસ પકડમાં આવી ગયા પણ આજદિન સુધી વડોદરા પોલીસને એન્થોનિને પકડવામાં સફળતા મળી નથી. જે બાદ આજે વડોદરા પોલીસે મોટી જાહેરાત કરી છે. જેમાં જણાવાયું છે કે, એન્થોની સબંધે સચોટ માહિતી આપનારને વળતર રૂપે રૂ. 25 હજારની પ્રોત્સાહન રકમ આપવામાં આવશે. તથા વિગત આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. ગત મે માસમાં શાર્પશૂટર એન્થોનીને છોટાઉદેપુરની સબજેલમાંથી વડોદરાની હોસ્પિટલમાં લવાયા બાદ એક્સ પીએસઆઇ જેપી ડામોર તેને કારમાં સયાજીગંજની પૂજા હોટલમાં લઇ ગયા હતા. જ્યાં એન્થોનીની પત્ની સુમન અને બહેન જયશ્રી મળ્યા હતા. પીએસઆઇને જમવા માટે લઈ જવાયા બાદ એન્થોની અને તેના પરિવારજનો ભાગી ગયા હતા. આ મામલે કેટલાકની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ એન્થોની હજી પણ ફરાર છે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.