વડોદરા:શહેરના સર્કિટ હાઉસમાં યુથ કોંગ્રેસની રેડ,પૂરગ્રસ્ત સહાય માટે સંગ્રહ કરેલ ફૂડ પેકેટ અને પાણી બોટલો મળી આવ્યા

યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા સર્કિટ હાઉસ ખાતે રેડ કરવામાં આવી હતી,અને સર્કિટ હાઉસમાં પાણીની બોટલનો જથ્થો  અને ચવાણાના પેકેટો જોવા મળ્યા

New Update

વડોદરામાં તંત્રનું વધુ એક ભોપાળુ

પૂર સહાયમાં પણ સંગ્રહખોરીના આક્ષેપ 

યુથ કોંગ્રેસ દ્વારા સર્કિટ હાઉસમાં કરાઈ રેડ 

ફૂડ પેકેટ તેમજ પાણીની બોટલોનો મળ્યો જથ્થો 

પૂરગ્રસ્તો માટેની સહાયનો સંગ્રહ કરાયો હોવાના આક્ષેપ   

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી પૂરના પાણીએ સર્જેલી તારાજી બાદ અસરગ્રસ્તોનો સરકાર અને વહીવટી તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે,ત્યારે સર્કિટ હાઉસ માંથી સંગ્રહ કરવામાં આવેલા ફૂડ પેકેટ તેમજ પાણીની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો,જે અંગે યુથ કોંગ્રેસ દ્વારા તંત્ર પર સહાયમાં પણ સંગ્રહખોરી કરી હોવાના આક્ષેપ કર્યા હતા.
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીની સપાટી વધતા શહેરમાં પૂર સંકટ સર્જાયું હતું.જેને લઈને સરકાર દ્વારા પૂરગ્રસ્તો માટે પાણીની બોટલ અને ચવાણું લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી,પરંતુ ક્યાંકને ક્યાંક સરકાર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી હતી તે લોકો સુધી પહોંચી ન હતી.જેને લઈને આજે યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા સર્કિટ હાઉસ ખાતે રેડ કરવામાં આવી હતી,અને સર્કિટ હાઉસમાં પાણીની બોટલનો જથ્થો  અને ચવાણાના પેકેટો જોવા મળ્યા હતા.
જ્યારે તેમને રેડ કરી હતી ત્યારે અધિકારીઓ દ્વારા આ બધી વસ્તુઓ ત્યાંથી હટાવી લેવા માટેની કાર્યવાહી ચાલતી હતી,પરંતુ અધિકારીને પણ આ અંગેની માહિતી નથી કે આ વસ્તુ કોના માટે સરકારે વ્યવસ્થા કરી છે તેવા આક્ષેપ પવન ગુપ્તાએ કર્યા હતા.ત્યારે યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી અને સરકાર તેમજ વહીવટી તંત્ર પર આક્ષેપો કર્યા હતા.
Read the Next Article

વડોદરા : પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા, 9 વ્યક્તિના મોતની શક્યતા..!

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા.

New Update
  • આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ પર દુર્ઘટના

  • ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ અચાનક તૂટી પડ્યો

  • બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા

  • દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતા

  • અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો વડોદરા જિલ્લાના પાદરા નજીક મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રકએક બોલેરો જીપ સહિત 4 વાહનો 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ થતા જ મુજપુર ગામના લોકો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતાજ્યાં મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડીયા મારતા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તો બીજી તરફબનાવની જાણ થતાં જ 20 જેટલી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ સહિત પાદરા પોલીસ કાફલો અનેNDRFની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે 8 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે. પાદરા હોસ્પિટલમાં 6 અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં 2 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે મોટી દુર્ઘટના સર્જાય છે. ઉલ્લેખનીય છે કેગંભીરા બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને પરિવહન વ્યવસ્થામાં ભારે ખલેલ પહોંચશે. આ બ્રિજ ભરૂચસુરતનવસારીતાપી અને વલસાડ સહિતના મુસાફરો માટે સૌરાષ્ટ્ર જવા માટે ઓછો ફેરાવો અને જલ્દી પહોંચવા માટે ફાયદાકારક હતો. જોકેહવે આ  બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના લોકોને સૌરાષ્ટ્ર જવા માટે ભારે મથામણ કરવી પડશે તેમ ચર્ચાઇ રહ્યું છે.