Connect Gujarat
વડોદરા 

વડોદરા: દેશમાં પ્રથમવાર ખાનગી કંપની કરશે મિલિટરી એરક્રાફ્ટનું ઉત્પાદન, PM મોદીના હસ્તે કરાશે પ્લાન્ટનો શિલાન્યાસ

ભારતમાં ખાનગી કંપની દ્વારા મિલિટરી એરક્રાફ્ટના ઉત્પાદનની આ પ્રથમ ઘટના હશે.

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યને અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ ધરશે. આ અવસરે વડાપ્રધાન વડોદરામાં ભારતીય વાયુસેનાના C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2021માં ભારતીય વાયુસેનાએ 56 નવા C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની ખરીદી માટે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે રૂપિયા 21 હજાર કરોડથી વધુ રકમના કરાર કર્યા હતા.

આ કરાર અનુસાર એરબસ કંપની 16 એરક્રાફ્ટ ફ્લાઇટ કંડીશનમાં ભારતને સપ્લાય કરશે. જ્યારે બીજા 40 એરક્રાફ્ટનું વડોદરામાં ટાટા એડવાન્સ સિસ્ટમ્સ દ્વારા નિર્માણ કરવામાં આવશે. નોંધપાત્ર બાબત એ છે કે ભારતમાં ખાનગી કંપની દ્વારા મિલિટરી એરક્રાફ્ટના ઉત્પાદનની આ પ્રથમ ઘટના હશે. આ પહેલથી વડાપ્રધાનના "મેક ઈન ઈન્ડિયા" અભિયાનને પણ વેગ મળશે.

Next Story