વડોદરા : પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ફોર્મ વિતરણ શરૂ, રાવપુરા કચેરી પર લોકોની ભીડ

વડોદરા શહેરના હરણી સહિત ચાર સ્થળોએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2132 આવાસો બનાવવામાં આવશે.

New Update
વડોદરા : પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ફોર્મ વિતરણ શરૂ, રાવપુરા કચેરી પર લોકોની ભીડ

વડોદરામાં હરણી સહિત ચાર સ્થળોએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આકાર લેનારા આવાસો માટે ફોર્મ વિતરણ શરૂ કરાયું છે. રાવપુરા ખાતે આવેલી એફોર્ડેબલ હાઉસિંગ કચેરી ખાતે ફોર્મ લેવા લોકોની ભીડ જામી હતી.

વડોદરા મહાનગરપાલિકા પાલિકાના ઉપક્રમે શહેરના હરણી સહિત ચાર સ્થળોએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2132 આવાસો બનાવવામાં આવશે. આ આવાસોની ફાળવણી માટે ફોર્મ વિતરણની કાર્યવાહી હાથ ધરતા લાભાર્થીઓએ પડાપડી કરી હતી. ગરીબ અને મધ્યમ વર્ગ માટે હરણી, કલાલી ,સુભાનપુરા અને ગોત્રીમાં ઈડબ્લ્યુએસ સ્કીમના 2132 આવાસોનું નિર્માણ થવા જઇ રહ્યું છે. રાવપુરા સ્થિત એફોર્ડેબલ હાઉસિંગ વિભાગની કચેરીમાંથી ફોર્મ વિતરણ કરવાની કામગીરી હાથ ધરાતા લાભાર્થીઓની લાંબી લાઈનો જોવા મળી હતી.

હરણી ખાતેની સ્કીમમાં 37 ચોરસ મીટર ક્ષેત્રફળ છે. તો બાકીની ત્રણ સ્કીમમાં 35 ચોરસ મીટર ક્ષેત્રફળ છે અને તેની કિંમત 5.50 લાખ રાખવામાં આવી છે. ફોર્મ મેળવવા માટે લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા કચેરી ખાતેથી આગામી દસ દિવસ સુધીના ટોકન ઈશ્યુ કરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનએ રાજીવ આવાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં 1470 ઇડબલ્યુએસ આવાસની ફાળવણી કરી દીધી છે. જ્યારે રાજીવ આવાસ યોજના (સ્લમ) અંતર્ગત 115 કરોડના ખર્ચે કલ્યાણ નગર, સયાજીપુરા, તાંદલજા ખાતે 1,460 આવાસોની મંજૂરી મેળવીને કામગીર પુર્ણ કરી છે .તે પૈકી 347 આવાસોની સોંપણી કરી દેવાય છે જયારે મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ એલ.આઈ.જી, એમ.આઈ.જી આવાસો પૈકી 5360 આવાસોની ફાળવણી કરી છે.

Read the Next Article

વડોદરા : પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા, 9 વ્યક્તિના મોતની શક્યતા..!

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા.

New Update
  • આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ પર દુર્ઘટના

  • ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ અચાનક તૂટી પડ્યો

  • બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા

  • દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતા

  • અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો વડોદરા જિલ્લાના પાદરા નજીક મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રકએક બોલેરો જીપ સહિત 4 વાહનો 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ થતા જ મુજપુર ગામના લોકો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતાજ્યાં મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડીયા મારતા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તો બીજી તરફબનાવની જાણ થતાં જ 20 જેટલી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ સહિત પાદરા પોલીસ કાફલો અનેNDRFની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે 8 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે. પાદરા હોસ્પિટલમાં 6 અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં 2 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે મોટી દુર્ઘટના સર્જાય છે. ઉલ્લેખનીય છે કેગંભીરા બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને પરિવહન વ્યવસ્થામાં ભારે ખલેલ પહોંચશે. આ બ્રિજ ભરૂચસુરતનવસારીતાપી અને વલસાડ સહિતના મુસાફરો માટે સૌરાષ્ટ્ર જવા માટે ઓછો ફેરાવો અને જલ્દી પહોંચવા માટે ફાયદાકારક હતો. જોકેહવે આ  બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના લોકોને સૌરાષ્ટ્ર જવા માટે ભારે મથામણ કરવી પડશે તેમ ચર્ચાઇ રહ્યું છે.

Latest Stories