વડોદરા : રક્ષિત ચૌરસિયાએ ગાંજાના નશામાં અકસ્માત સર્જ્યો હોવાનો FSL રિપોર્ટમાં ઘટસ્ફોટ…

કારેલીબાગ વિસ્તારમાં ગત તા. 13 માર્ચે હોળીની રાત્રે અકસ્માત સર્જી 8 લોકોને અડફેટે લેનાર રક્ષિત ચૌરસિયાએ ગાંજાનું સેવન કર્યું હોવાનો FSLના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો

New Update
  • કારેલીબાગ વિસ્તારમાં ભયંકર અકસ્માતનો મામલો

  • તા. 13 માર્ચે કાર ચાલકે 8 લોકોને લીધા હતા અડફેટે

  • એક મહિલાનું મોતજ્યારે 7 લોકોને પહોચી હતી ઇજા

  • અકસ્માત બાદ આરોપીઓનોFSL રિપોર્ટ સામે આવ્યો

  • ત્રણેય આરોપીઓએ કર્યો હતો ગાંજાનો નશો :DCP

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગત તા. 13 માર્ચે હોળીની રાત્રે અકસ્માત સર્જી 8 લોકોને અડફેટે લેનાર રક્ષિત ચૌરસિયાએ ગાંજાનું સેવન કર્યું હોવાનોFSLના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે.

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે ગત તા. 13 માર્ચ-2025 હોળીની રાત્રે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. જેમાં હેમાલી પટેલ નામની મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતુંજ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં બાળક-બાળકી સહિત કુલ 7 લોકોને ઈજા પહોચી હતી.

આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આરોપી કારચાલક રક્ષિત ચૌરસિયાની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો ગુન્હો દાખલ કર્યો હતો. સમગ્ર મામલેDCP પન્ના મોમાયાએ જણાવ્યું હતું કેઆરોપી રક્ષિત ચોરસીયાપ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડના બ્લડ સેમ્પલ મેળવીFSLમાં મોકલવામાં આવતા રિપોર્ટમાં સામે આવ્યું છે કેત્રણેય આરોપીના બ્લડ સેમ્પલમાં ગાંજાની હાજરી હતી.

જેથી કારેલીબાગ પોલીસ મથકમાં ત્રણેય આરોપી સામેNDPS એક્ટ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે જ પ્રાંશુ ચૌહાણની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉપરાત આરોપી સુરેશ ભરવાડને પકડવા માટે ટીમો બનાવીને તેની શોધખોળ કરવામાં આવી રહી છે. વધુમાં આરોપીઓ ગાંજો ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસ તપાસ ચાલુ છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.