વડોદરા: સોશિયલ મીડિયા પર સંપર્ક બાદ સગીર યુવતી દુષ્કર્મનો ભોગ બની,પોલીસે આરોપીની કરી ધરપકડ

યુવતીનો સંપર્ક ઇન્સ્ટાગ્રામ પર થયો હતો અને તેની સાથે અવારનવાર જતી હતી. દરમિયાન મકરપુરાના યુવકે તેણીને પટાવી ફોસલાવી દુષ્કર્મ આચર્યું .......

New Update
Rapeist Arrest

વડોદરામાં વધુ એક સગીરા બની દુષ્કર્મનો શિકાર

સોશિયલ મીડિયા પર સંપર્ક બાદ વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું

યુવકે સગીરાને પટાવી ફોસલાવીને મિત્રના ઘરે લઈ ગયો હતો

યુવક દ્વારા યુવતીને કરવામાં આવતી હતી હેરાન

ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરતી પોલીસ

વડોદરામાં સોશિયલ મીડિયાના માધ્યમથી વિધર્મી યુવકના સંપર્કમાં આવેલી સગીર યુવતી દુષ્કર્મનો ભોગ બની હતી.આ ઘટનામાં પોલીસે ફરિયાદ બાદ યુવકની ધરપકડ કરી હતી. વડોદરાના ભાયલી સામુહિક દુષ્કર્મની ઘટનામાં  હજી પોલીસ આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે,ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી.શહેરની એક યુવતી મકરપુરા વિસ્તારના યુવક સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવી હતી.
અને યુવક સગીર યુવતીને પટાવીને બે થી ત્રણ વખત તેના મિત્રના ઘરે લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર  બાદ નવરાત્રી દરમિયાન યુવતીને કોઈને કોઈ બહાના હેઠળ હેરાનગતિ કરવામાં આવતી હતી.જેનાથી ત્રાસી જઈને આ અંગે યુવતીએ તેની માતાને જાણ કરતા મોડી રાત્રે ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી યુવતીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે મકરપુરા વિસ્તારમાં રહેતા વાજીદશા દિવાન નામના યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે ACP પ્રણવ કટારીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે દુષ્કર્મ અંગે ફરિયાદ થઈ હતી,જેમાં મકરપુરા વિસ્તારમાં રહેતા યુવક સાથે યુવતીનો સંપર્ક ઇન્સ્ટાગ્રામ પર થયો હતો અને તેની સાથે અવારનવાર જતી હતી. દરમિયાન મકરપુરાના યુવકે તેણીને પટાવી ફોસલાવી દુષ્કર્મ આચર્યું છે અને નવરાત્રી દરમિયાન પણ તેને હેરાન પરેશાન કરી રહ્યો હતો. ફરિયાદના આધારે તાત્કાલિક અસરથી પોલીસે મકરપુરાના સાજીદશા દિવાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.