વડોદરા : હરિપ્રસાદ સ્વામીનો નશ્વર દેહ પંચમહાભુતમાં વિલિન, હરિભકતોની આંખો અશ્રુઓથી છલકાય

દાસના દાસનું ઉપનામ મેળવનારા તથા લાખો યુવાનોને વ્યસનમુકત બનાવનારા હરિપ્રસાદ સ્વામીનો નશ્વર દેહ રવિવારના રોજ પંચમહાભુતમાં વિલિન થઇ ગયો છે.

New Update
વડોદરા : હરિપ્રસાદ સ્વામીનો નશ્વર દેહ પંચમહાભુતમાં વિલિન, હરિભકતોની આંખો અશ્રુઓથી છલકાય

દાસના દાસનું ઉપનામ મેળવનારા તથા લાખો યુવાનોને વ્યસનમુકત બનાવનારા હરિપ્રસાદ સ્વામીનો નશ્વર દેહ રવિવારના રોજ પંચમહાભુતમાં વિલિન થઇ ગયો છે. વડોદરા નજીક આવેલાં સોખડા ખાતે આવેલાં મંદિર પરિસરમાં જ સ્વામીજીને અગ્નિદાહ આપવામાં આવ્યાં હતાં.

યોગી ડીવાઇન સોસાયટીના સ્થાપક હરીપ્રસાદ સ્વામીનો નશ્વરદેહ રવિવારના રોજ પંચમહાભુતમાં વિલિન થઇ ગયો છે. હરિપ્રસાદ સ્વામીજી 88 વર્ષની જૈફ વયે બ્રહમલીન થયાં હતાં. તેમના નશ્વર દેહને સોખડાના મંદિર ખાતે ભકતોના દર્શન માટે રાખવામાં આવ્યો હતો. આજે રવિવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાજકોટના શાસ્ત્રી સહિત પાંચ પંડિતો દ્વારા યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર અંતિમ સંસ્કાર વિધિ કરાવવામાં આવી હતી. અંત્યેષ્ટી સંસ્કારની શરૂઆત તીર્થજળ અને ગુલાબ-કેસર જળથી અભિષેક સાથે શરૂ કરવામાં આવ્યો હતો. લગભગ સાડા ચાર કલાક સુધી ચાલેલી વિધિ બાદ સ્વામીજીના દિવ્યદેહને અગ્નિદાહ માટે લઇ જવાયો હતો. હજારો હરિભકતોએ અશ્રુભીની આંખે તેમના પ્રિય સ્વામીને અંતિમ વિદાય આપી હતી.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

Latest Stories