/connect-gujarat/media/post_banners/c115d8b5ead554064d3e073f238c861ba6404e6e1b30c6f377b7210aca9902bf.jpg)
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં તાજેતરમાં દેશના વડાપ્રધાન દ્વારા બે હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે આ રીતે તંત્રની લાલિયાવાડી સામે આવી છે. તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રીએ ટકોર કરી હતી કે અમદાવાદ અને સુરત વચ્ચે વિકાસમાં વડોદરા શા માટે પાછળ રહી ગયું છે.
ત્યારે આ પરથી સ્પષ્ટ થાય છે કે જવાબદારોએ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવવી જોઈએ. કોઈ વ્યક્તિના પરિવારમાં કોઈનું મૃત્યુ થાય અને આ રીતે એકમાં 2 મૃતદેહો સાચવવામાં આવે તે કેટલું યોગ્ય છે. સયાજી હોસ્પિટલમાં 6 કોલ્ડ સ્ટોરેજ છે. જેમાં એકમાં 6 મૃતદેહો મુકી શકાય છે, પરંતુ 4 કોલ્ડસ્ટોરેજ બંધ હાલતમાં છે, અને માત્ર 2 ચાલી રહ્યા છે. તેમાં પણ એકના બદલે 2-2 મૃતદેહોને મુકવામાં આવતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. આ બાબતે હોસ્પિટલ તંત્રના અધિકારીનું કહેવું છે કે, કેટલાક યુનિટ પહેલેથી જ બંધ હતાં અને જે બંધ છે, તેને રિપેર કરવાની કામગીરી કરવામાં આવશે.
આ યુનિટો 10 વર્ષ જૂના હોવાથી વારંવાર રિપેર કરવા પડે છે, અને 24 કલાક કાર્યરત હોઈ જેથી ક્ષતિઓ આવતી હોય છે. 6માંથી 2ની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, જે રિપેર કરવા ખૂબ મોંઘા પડે તેમ છે. અમે આ બાબતે કામગીરી કરી રહ્યા છીએ અને સરકાર પાસે નવા યુનિટની માંગણી કરી રહ્યા છીએ.