વડોદરા : મનપા દ્વારા તહેવારો પૂર્વે ખાદ્ય પદાર્થોનું ચેકિંગ હાથ ધરાયું, મિલાવટ કર્તાઓમાં ફફડાટ...

આરોગ્ય વિભાગની ખોરાક શાખા દ્વારા શહેરના ચાર ઝોનમાં વિવિધ ટુકડીઓ બનાવી મીઠાઈ, માવા અને ફરસાણ સહિતના ખાદ્ય પદાર્થોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

New Update
વડોદરા : મનપા દ્વારા તહેવારો પૂર્વે ખાદ્ય પદાર્થોનું ચેકિંગ હાથ ધરાયું, મિલાવટ કર્તાઓમાં ફફડાટ...

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ખોરાક શાખા દ્વારા શહેરના ચાર ઝોનમાં વિવિધ ટુકડીઓ બનાવી મીઠાઈ, માવા અને ફરસાણ સહિતના ખાદ્ય પદાર્થોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

હાલ દિવાળીનો તહેવાર માથે છે, ત્યારે વડોદરા શહેરભરમાં ફરસાણ અને મીઠાઈના વેપારીઓ દ્વારા તૈયાર કરવામાં આવતી વાનગીઓની ગુણવત્તા તપાસવા માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરમાં ચાર ઝોન બનાવીને આરોગ્ય વિભાગની 4 ટીમ વિવિધ ખાદ્ય પદાર્થોના સેમ્પલ એકત્રિત કરીને ફૂડ લેબોરેટરીમાં પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. શહેરના કાલુપુરામાં ઘીના વેપારીને ત્યાં આરોગ્ય શાખાની ખોરાક વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઘીના નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા. સતત 2 દિવસથી સફાળી જાગેલી આરોગ્ય તંત્રની ટીમ દ્વારા ઠેર ઠેર સેમ્પલ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જોકે, મહત્વની વાત તો એ છે કે, પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા સેમ્પલનો રિપોર્ટ 15 દિવસ બાદ આવશે. ત્યાં સુધી વડોદરા શહેરના નાગરિકો ખાદ્ય કે, અખાદ્ય વાનગીઓ આરોગી ચૂક્યા હશે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

Latest Stories