વડોદરા: વાઘોડિયા જીઆઇડીસીની શ્રી જે જે ફોર્મ કંપનીમાં ભીષણ આગથી નાસભાગ મચી

વાઘોડિયા  જીઆઈડીસીમાં આવેલ જે જે ફોર્મ નામની કંપનીના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી,ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર મેળવાયો

New Update

વાઘોડિયા જીઆઈડીસીનો બનાવ 

શ્રી જે જે ફોર્મના ગોડાઉનમાં લાગી ભીષણ આગ 

ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો 

 ખાનગી કંપનીના લાશ્કરોએ આગ પર મેળવ્યો કાબુ  

આગ લાગવાનું કારણ અકબંધ 

વડોદરાના વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલ શ્રી જે જે ફોર્મ નામની કંપનીના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા નાસભાગ મચી ગઈ હતી.વડોદરાની  વાઘોડિયા  જીઆઈડીસીમાં આવેલ જે જે ફોર્મ નામની કંપનીના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી,ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું,અને ઘટના અંગે ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવતા ખાનગી કંપની સહિતના ફાયર લાશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી આવ્યા હતા,અને આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો,જ્યારે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
અને આગમાં બચી ગયેલા માલસામાનને સુરક્ષિત રીતે બહાર ખસેડવાની કામગીરી પણ કરવામાં આવી હતી.આગમાં સદનસીબે કોઈ જાનહાની પહોંચી નહતી.અને આગ લાગવા અંગેનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.